(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: સેલવાસના આમલી મંદિર ફળીયા સ્થિત રામજી મંદિર ટ્રસ્ટની જમીનને 70 વર્ષ પહેલા એક ખાનગી કંપનીને ભાડે આપવામાં આવી હતી. તે કંપની દ્વારા એ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા એ જમીન પરત મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એ કેસની સુનાવણી વર્ષો બાદ થતાં ચુકાદો આવ્યો હતો.
જેમાં કોર્ટે રામજી મંદિર ટ્રસ્ટના પક્ષે ચુકાદો આપ્યો હતો અને જમીનનો કબ્જો આપવામાં આવતા મંદિરના ટ્રસ્ટીઓ અને સંચાલકો ભક્તો દ્વારા મીઠાઈ વહેંચી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી શ્રી અજયભાઈ દેસાઈ, શ્રી છોટુભાઈ પટેલ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.