June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: બાબાસાહેબ સર્કલ ઉપર ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણ તિથિ હોવાથી ભારત વર્ષ આજે તેમની આજે તેમની પુણ્‍યતિથિની આદરપૂર્વક ઉજવણી કરે છે તે અંતર્ગત ધરમપુરમાં ભાજપ પરિવાર દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાઉપર માળા અર્પણ કરી ભાજપ પરિવારે તેમની પુણ્‍યતિથિની ઉજવણી કરી હતી.
ભારતીય બંધારણના પ્રમુખ વાસ્‍તુકાર, સ્‍વતંત્ર ભારતના પ્રથમ કાનૂનમંત્રી મહાન સમાજ સુધારક ભારતરત્‍ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તા.06 ડિસેમ્‍બરે પુણ્‍યતિથિ હોવાથી ધરમપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા પુણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુર આંબેડકર સર્કલ સ્‍થિત ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્‍પાંજલી અને માળા અર્પણ કરવામાં આવ્‍યા હતા. ધરમપુરના ધારાસભ્‍ય અને વર્તમાન ચૂંટણી ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવિણસિંહ, પાલિકા પ્રમુખ જોશ્‍નાબેન દેસાઈ, કારોબારી અધ્‍યક્ષ રક્ષાબેન જાદવ, જયદિપ સોલંકી, મહેશ ગાયકવાડ, સંદિપભાઈ મળી ભાજપના હોદ્દેદારો, કાર્યકરો શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment