Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: બાબાસાહેબ સર્કલ ઉપર ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણ તિથિ હોવાથી ભારત વર્ષ આજે તેમની આજે તેમની પુણ્‍યતિથિની આદરપૂર્વક ઉજવણી કરે છે તે અંતર્ગત ધરમપુરમાં ભાજપ પરિવાર દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાઉપર માળા અર્પણ કરી ભાજપ પરિવારે તેમની પુણ્‍યતિથિની ઉજવણી કરી હતી.
ભારતીય બંધારણના પ્રમુખ વાસ્‍તુકાર, સ્‍વતંત્ર ભારતના પ્રથમ કાનૂનમંત્રી મહાન સમાજ સુધારક ભારતરત્‍ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તા.06 ડિસેમ્‍બરે પુણ્‍યતિથિ હોવાથી ધરમપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા પુણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુર આંબેડકર સર્કલ સ્‍થિત ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્‍પાંજલી અને માળા અર્પણ કરવામાં આવ્‍યા હતા. ધરમપુરના ધારાસભ્‍ય અને વર્તમાન ચૂંટણી ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવિણસિંહ, પાલિકા પ્રમુખ જોશ્‍નાબેન દેસાઈ, કારોબારી અધ્‍યક્ષ રક્ષાબેન જાદવ, જયદિપ સોલંકી, મહેશ ગાયકવાડ, સંદિપભાઈ મળી ભાજપના હોદ્દેદારો, કાર્યકરો શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા રૂા.3 કરોડ સુધી લોન સહાય અપાશે

vartmanpravah

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દીવ ખાતે નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પ્રદેશના અધિકારીઓએ શરૂ કરેલા શ્રેષ્‍ઠ પ્રયાસો

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

Leave a Comment