January 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી પોલીસ વિભાગને આધુનિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ દાનહ દીવ શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરેના દિશાનિર્દેશ અનુસાર પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે એસ.પી. શ્રી રાજેદ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન સહિત પોલીસ ઓફિસરોની હાજરીમાં ઈ-માલખાના પરિયોજના શરૂ કરવામાં આવ્‍યું હતું.
આ ઈ-માલખાનાથી વિવિધ કેસોને લગતી વસ્‍તુ, પુરાવા વગેરેને પધ્‍ધતિસર સંગ્રહ કરવા, પધ્‍ધતિસર કોડિંગ કરવા માટે ઈ-માલખાના સિસ્‍ટમ ઉપયોગી થશે. આ સિસ્‍ટમના કારણે પોલીસ વિભાગ પોતાના સંસાધનોનું વ્‍યવસ્‍થાપન અસરકારક રીતે કરી શકશે જેથી સમયનો પણ બચાવ થશે. આ સિસ્‍ટમથી કેસને લાગતી વસ્‍તુનું વ્‍યવસ્‍થિત ગોઠવણીમાં પણ મદદ મળશે. હાલમાં આ સિસ્‍ટમ સેલવાસ અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં શરૂ કરવામાં આવી છે.

Related posts

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

સરીગામ પંચાયતે મુખ્‍ય રસ્‍તાના દબાણો દૂર કરવા આપેલુ અલ્‍ટીમેટમ

vartmanpravah

Leave a Comment