Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

હાલે આંબાના ઝાડ પર આમ્ર મંજરી ફૂટવાની સીઝન છે તો બીજી બાજુ શેરડીનું કટીંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવામાં કમોસમી વરસાદની આગાહીના પગલે જિલ્લાના ખેડૂતો મુશ્‍કેલીમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 14 ડિસેમ્‍બરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્‍યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે અને એપીએમસી માર્કેટ અનાજના જથ્‍થાને ખુલ્લામાં રહેલ ખેતીના માલને તેમજ પરિવહન દરમિયાન કે અન્‍ય કોઈપણ જગ્‍યાએ વરસાદના કારણે કોઈ નુકસાની ન થાય તે માટે જરૂરી વ્‍યવસ્‍થા અને તકેદારીના પગલાં લેવા માટે ખેતીવાડી બાગાયત વિભાગના અધિકારીઓને ડિઝાસ્‍ટર મામલતદાર દ્વારા જાણ કરવામાં આવેલ છે, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્‍ચે હાલે આંબાવાડીમાં આંબા કલમો ઉપર આમ્રમંજરી ફૂટવાની સિઝન છે આંબાના ઝાડ ઉપર કેટલીક જગ્‍યાએ આમ્રમંજરી જોવા પણ મળી રહી છે. બીજી તરફ ફૂટ માટે ઠંડીની માત્રા વધે તો વાતાવરણ સાનુラકૂળ થતું હોય છે પરંતુ તેનાથી વિપરીત આગાહી મુજબ કમોસમી વરસાદથાય તો આંબાવાડીમાં અમ્ર મંજૂરી ફૂટવા પર અસર વર્તાવા સાથે નુકસાન થવાની શકયતા વચ્‍ચે ધરતીપુત્રોની ચિંતા વધવા પામી છે.
આ ઉપરાંત હાલે આ વિસ્‍તારનો મુખ્‍ય પાક એવા શેરડીનું કટીંગ પણ ચાલી રહ્યું છે તેવામાં કમોસમી વરસાદ થાય તો શેરડીનું કટીંગ પણ અટકી જાય તેમ છે વધુમાં કમોસમી વરસાદથી શાકભાજીના પાકોને પણ નુકસાન થવાની શકયતા વચ્‍ચે ખેડૂતોની ચિંતા વધે તે સ્‍વાભાવિક છે
આ ઉપરાંત ચીખલી તાલુકામાં શેરડી કાપવા આવેલા શ્રમિકો પણ મોટી સંખ્‍યામાં છે અને તેઓ સામાન્‍ય ટેન્‍ટમાં વસવાટ કરતા હોય છે. ત્‍યારે આવા શ્રમિકોએ પણ મુશ્‍કેલી વેથવાની નોબત આવી શકે તાલુકામાં હાલે વિકાસના કામો પણ ચૂંટણી બાદ તે જ ગતિએ ચાલી રહ્યા છે ત્‍યારે કમોસમની વરસાદથી વિકાસના કામો પર પણ બ્રેક લાગ્‍યા સાથે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.
જિલ્લામાં ગત વર્ષે પણ ડિસેમ્‍બર માસની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડ્‍યો હતો ગત એક અને બે ડિસેમ્‍બર દરમિયાન ધોધમાર 74 મીમી જેટલો સમય વરસાદ વરસતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment