Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

> પ્રતિ ક્ષણઊર્જાનાં રક્ષણ થકી જ શક્‍ય ‘ઊર્જા સંરક્ષણ’ > સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્‍મિભૂત ઇંધણનો બચાવ કરીએ   > બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરીએ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: વિશ્વની વધતી જતી જનસંખ્‍યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્‍ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જાસ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી. વીજળી સામાન્‍ય જનજીવનની જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્‍ય નથી. આપણી આસપાસ નજર કરીએ તો ખ્‍યાલ આવે કે એવી એક પણ ક્ષણ નથી કે જ્‍યારે આપણે વીજળીનો પ્રયોગ નહીં કરતા હોઈએ. સીધી કે આડકતરી રીતે લોકોને હવે સતત એના સંપર્કમાં રેહવું જ પડે છે.
ભારતમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે. અશ્‍મિભૂત ઇંધણ(ઘણા વર્ષોની જહેમત બાદ પ્રાપ્ત થતું ઇંધણ. જેનો વપરાશ કર્યા બાદ તે ઝડપતી પ્રાપ્ત થઈ શકતું નથી.), ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્‍પન્ન કરે છે, પરંતુ તેમની માટે વધતી માંગને કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્‍યમાં તેની અછત સર્જાઈ શકે છે. ઊર્જા સંરક્ષણ દ્વારા ઊર્જાની બચત કરી શકાય છે. આ ઊર્જાસ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્‍બર, 1991નાં વર્ષથી‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ ઉજવવમાં આવે છે. ભારત સરકાર દ્વારા આ માટે કેટલીક યોજનાઓ પણ ઘડવામાં આવી છે જેમકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સૂર્ય શક્‍તિ કિસાન યોજના, સૂર્યકૂકર યોજના વગેરે. ઊર્જા સંરક્ષણ દિવસનો મુખ્‍ય હેતુ પુનઃ અપ્રાપ્‍ય ઊર્જાસ્ત્રોતોને બચાવવાનો છે. તેનાં માટે ઘણા પગલા લઈ શકાય છે.
જ્જ વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. જ્‍યાં ત્‍યાં લાઈટ અને પંખા ચાલુ હોય ત્‍યાં બંધ કરી દેવા અને ઈલેક્‍ટ્રીસીટી ઓછી વાપરે તેવા વાયરો તથા ઉપકરણોનો જ ઉપયોગ કરવો જોઈએ.

લાકડાનો ઉપયોગ ભારતમાં ઇંધણ તરીકે કરવામાં આવે છે. ગામડામાં મોટા ભાગના લોકો ખોરાક રાંધવા માટે પણ લાકડાનો ઉપયોગ કરે છે. જો એલપીજીનો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે તો લાકડાનો બચાવ થઈ શકે છે.
જ્જ હંમેશા આઈએસઆઈ સ્‍ટેમ્‍પ્‍ડ પાવર ટૂલ્‍સ વાળા વીજળી સાધનોનો ઉપયોગ કરવો. સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્‍મિભૂત ઇંધણનો બચાવ કરી શકીએ છીએ. સૂર્યકૂકરથી ભોજન બનાવી શકીએ છીએ. સોલાર બેટરી દ્વારા વીજળીનો પણ બચાવ કરી શકીએ છીએ. બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરી શકાય છે. પાણીનો વધુ પડતો વેડફાટ ન કરતા જરૂર પડે ત્‍યાં જ પાણીનોઉપયોગ કરવો.

– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Related posts

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશ કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

Leave a Comment