March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : જ્‍યારથી પ્રશાસન દ્વારા કામદારો માટેના લઘુત્તમ વેતન દરોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારથી એક પછી એક કંપનીના કામદારો, કર્મચારીઓ દ્વારા હડતાળ કે વિરોધ પ્રદર્શન તથા લેબર ઓફિસરને મળીને તેમની રજૂઆતો કરવાનો દૌર ચાલુ રહ્યો છે. જેની કડીમાં દાદરા નગર હવેલીમાં આવેલી ખુશ્‍બુ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ તેમના પગાર વધારા મુદ્દે ગત 9 ઓક્‍ટોબર, 2023ના રોજ હડતાળ પાડી વિરોધ નોંધાવ્‍યો હતો. હડતાળથી ખિજાયેલા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કેટલીક મહિલા કર્મચારીઓને નોકરી પરથી છૂટી કરી દેવામાં આવી હતી. આ બાબતે મહિલાઓ કામદારોએ અન્‍ય કર્મચારીઓ સાથે મળી એમની સમસ્‍યા બાબતે રજૂઆત કરવા દાનહના લેબર ઓફિસરને મળવા ગયા હતા. જેમાં મહિલા કામદારોએ જણાવ્‍યું હતું કે, અમે જે કંપનીમાં કામ કરીએ છીએ ત્‍યાં રોજના ફક્‍ત 250 રૂપિયા મુજબ પગાર આપવામાં આવે છે, અને જો સંજોગોવસાત કોઈક દિવસ રજા પાડવામાં આવે તો એના કરતા પણ ઓછો પગાર આપે છે. જેથી અમને યોગ્‍ય ન્‍યાય મળવો જોઈએઅને સરકારી નિયમ મુજબ પગાર મળે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.
લેબર ઓફિસરે પણ કંપનીના લેબર કોન્‍ટ્રાક્‍ટરને રૂબરૂ બોલાવી તેઓ સાથે ચર્ચા કરી કામદારોના પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ લાવવાની સલાહ અને બાંહેધરી આપી હતી.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે રીંગણવાડા વિસ્‍તારમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

Leave a Comment