July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

નવિન પુલ બનાવવા માટે જુનો પુલ તોડી નાખવાનો છે : હજારો વાહન ચાલકોની મુસીબતનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ફોર લાઈન નવો બનાવવાનો હોવાથી બુધવારે મધરાતે 12 વાગે જાહેરનામા મુજબ અવર જવર માટે બંધ કરી દેવાયો હતો. પાલિકા કર્મચારીઓએ વિધિવત પુલની બન્ને સાઈડ આડશો બાંધી જાહેરનામાની નોટીસ મારી પુલ હવેથી આગળનો બે-એક વર્ષ સુધી બંધ રહેશે.
વાપીમાં 142 કરોડના ખર્ચે ફોરલાઈન નવિન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે તે માટે પુલ બંધ પણ કરી દેવાયો છે પરંતુ બહાર ગામના અજાણ્‍યા વાહન ચાલકો તો બેખબર હોય તેથી પુલ સુધી પહોંચી જશે અને પાછા ફરવાની ફરજ બનશે. તેથી પુલ સુધી પહોંચતા તમામ રોડ ઉપર મોટા સાઈનબોર્ડ-નોટિસ મારવી પડશે. નહીતર ટ્રાફિકની અંધાધુધી ઉભી થશે. હાલ પણ રોજના 30 થી 40 હજાર વાહનોની અવરજવર માટેની સમસ્‍યાનો પ્રારંભ થઈ ગયો છે. સુચિત કરેલા ડાઈવર્ઝન ઉપર ટ્રાફિક ટર્ન કરાવાઈ રહ્યો છે. કંઈ મેળવવા માટે કંઈક ગુમાવવું પડે તેવું માની વાહન ચાલકો પણ ટેવાઈ જશે.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે દીવના ગોમતીમાતા બીચની કરાયેલી સાફ-સફાઈ: કુલ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકત્ર કરાયો

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

Leave a Comment