April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

દાનહ વેપારી એસોસિએશનના શાંતુભાઈ પુજારીએ પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરો સમક્ષ વેન્‍ડરોના પ્રશ્નોની કરેલી રજૂઆતઃ પાલિકાના પ્રતિનિધિઓ તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: આજે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારી અને તેમની ટીમે સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર માટેચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના પ્રતિનિધિઓ માટે ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ ખાતે સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને ઉપાધ્‍યક્ષ શ્રી અજયભાઈ દેસાઈએ ઉપસ્‍થિત રહી પદાધિકારીઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી રજનીબેન શેટ્ટી, શ્રીમતી શીતલબેન, શ્રી સુમનભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ, શ્રી મનોજભાઈ દયાત, શ્રી બકુભાઈ બરફે ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રી સંજયભાઈ, શ્રી શ્રીકાંતભાઈ, શ્રી મિલિંદભાઈ તથા શ્રીમતી રમીલાબેનનું સ્‍વાગત અને અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારીએ સ્‍ટ્રીટ વેન્‍ડરોની સમસ્‍યાઓથી પણ ન.પા. પ્રમુખ – ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરોને માહિતગાર કર્યા હતા. તેઓએ સમસ્‍યાના નિરાકરણ માટે આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

Leave a Comment