September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

  • આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે મેડિકલ સ્‍ટોર, ખાનગી હોસ્‍પિટલ, ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોર, મોલ, વાણિજ્‍યક ગતિવિધિ, હોટલ તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે જારી કરેલા આદેશોઃ કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવા ભલામણ

  • ખાનગી હોસ્‍પિટલોમાં ફલૂના લક્ષણ સાથે આવતા દર્દીઓને નજીકના સરકારી આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં કોવિડ-19ના ટેસ્‍ટિંગ માટે મોકલવા તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: વિશ્વભરમાં કોવિડ-19ના દર્દીઓની અચાનક સંખ્‍યા વધતાં સંઘપ્રદેશ પ્રશાસને પણ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી છે. સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે જરૂરી દિશા-નિર્દેશો જારી કરી ખાનગી હોસ્‍પિટલ અને મેડિકલ સ્‍ટોરમાં પર્યાપ્ત દવાઓ, માસ્‍ક, હેન્‍ડ સેનિટાઈઝર તથા ગ્‍લોવ્‍ઝનો જથ્‍થો યોગ્‍ય માત્રામાં રાખવા તાકિદ કરી છે. તેમણે ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોર, મોલ્‍સ અને આવી વાણિજ્‍યક ગતિવિધિ સાથે સંકળાયેલા તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ અને હોટલોના સંચાલકોને પણ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન થાય તે નિヘતિ કરવા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, 31મીડિસેમ્‍બરની ઉજવણીની રંગીન રાતમાં ગ્રાહકોને બે ગજની દુરી, હેન્‍ડ સેનિટાઈઝર તથા માસ્‍ક પહેરે તે બાબતની કાળજી સંચાલકોએ રાખવી પડશે. કારણ કે, કોરોના કો હરાના હૈ તો દો ગજકી દુરી માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી.
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવે તમામ ખાનગી હોસ્‍પિટલોને ફલૂ જેવા લક્ષણો સાથેના આવતા દર્દીઓને નજીકના સરકારી આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં કોવિડ-19ના ટેસ્‍ટિંગ માટે મોકલવા પણ તાકિદ કરી છે.

Related posts

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment