June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

  • આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે મેડિકલ સ્‍ટોર, ખાનગી હોસ્‍પિટલ, ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોર, મોલ, વાણિજ્‍યક ગતિવિધિ, હોટલ તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે જારી કરેલા આદેશોઃ કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવા ભલામણ

  • ખાનગી હોસ્‍પિટલોમાં ફલૂના લક્ષણ સાથે આવતા દર્દીઓને નજીકના સરકારી આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં કોવિડ-19ના ટેસ્‍ટિંગ માટે મોકલવા તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: વિશ્વભરમાં કોવિડ-19ના દર્દીઓની અચાનક સંખ્‍યા વધતાં સંઘપ્રદેશ પ્રશાસને પણ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી છે. સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે જરૂરી દિશા-નિર્દેશો જારી કરી ખાનગી હોસ્‍પિટલ અને મેડિકલ સ્‍ટોરમાં પર્યાપ્ત દવાઓ, માસ્‍ક, હેન્‍ડ સેનિટાઈઝર તથા ગ્‍લોવ્‍ઝનો જથ્‍થો યોગ્‍ય માત્રામાં રાખવા તાકિદ કરી છે. તેમણે ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોર, મોલ્‍સ અને આવી વાણિજ્‍યક ગતિવિધિ સાથે સંકળાયેલા તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ અને હોટલોના સંચાલકોને પણ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન થાય તે નિヘતિ કરવા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, 31મીડિસેમ્‍બરની ઉજવણીની રંગીન રાતમાં ગ્રાહકોને બે ગજની દુરી, હેન્‍ડ સેનિટાઈઝર તથા માસ્‍ક પહેરે તે બાબતની કાળજી સંચાલકોએ રાખવી પડશે. કારણ કે, કોરોના કો હરાના હૈ તો દો ગજકી દુરી માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી.
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવે તમામ ખાનગી હોસ્‍પિટલોને ફલૂ જેવા લક્ષણો સાથેના આવતા દર્દીઓને નજીકના સરકારી આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં કોવિડ-19ના ટેસ્‍ટિંગ માટે મોકલવા પણ તાકિદ કરી છે.

Related posts

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment