વાપીના અન્ય ગેમ ઝોન બંધ કરવાની તાકીદ કરી દેવાઈ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: રાજકોટમાં ટીારપી ગેમ ઝોનમાં આગ લાગવાની બનેલી ગોઝારી ઘટનામાં 30 ઉપરાંત નિર્દોષો આગમાં ભડથુ થઈ ગયા હતા. આ ઘટના બાદ સફાળી જાગેલી સરકારે રાજ્યના તમામ ગેમ ઝોન અને જાહેર મેળાઓનું ચેકિંગ કરવાના નિર્દેશો આપ્યા હતા. તેની અસર વાપી, વલસાડ અને ધરમપુરમાં પણ થઈ હતી. તમામ ગેમઝોનની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં અનેક ક્ષતિઓ ઉજાગર થવા પામી છે.
રાજ્ય સરકારના ઓર્ડર બાદ વાપીમાં ચલા, દમણ રોડ ઉપર કાર્યરત સમર વેકેશન લોક મેળાની પણવહિવટી તંત્રએ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ, વહિવટી તંત્ર, પાલિકા અને ફાયર અધિકારીઓની ટીમે ચલા લોકમેળામાં સર્ચ ઓપરેશન કર્યું હતું. કાર્યવાહી દરમિયાન ફાટર તથા સેફટી અને મેળો ચાલુ કરવાની પરમીશન જેવી બાબતોની તપાસ કરી હતી તે પર્યાપ્ત મળી આવી હતી તેથી વહિવટી તંત્રએ ચલાના લોક મેળાને ચાલુ રાખવાની છૂટ આપી હતી. જો કે જે તે સમયે વાપીના અન્ય ક્રીસ વન્ડરઝોન સહિત ગેમઝોન પણ તપાસાયા હતા. તેમને તાકીદે બંધ કરી દેવાની સુચના પણ અપાઈ હતી.