April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા 100 નાગરિકો જેમણે ઘરવેરો ભરવાનો બાકી છે તેઓને 20 ડિસેમ્‍બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેના અંતર્ગત આ દરેક નાગરિકોને બાકીઘરવેરો ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્‍યો છે. અગર તેઓ પંદર દિવસની અંદર એમનો બાકી વેરો ભરવામાં અસફળ રહેશે તો તેઓ વિરુદ્ધ દાનહ અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142 મુજબ એમના બાકી વેરા પર વ્‍યાજ લગાવવામાં આવશે અને એમની સંપત્તિને સીલ કરવાનું વોરન્‍ટ જારી કરવામાં આવી શકે છે.
આજે સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બાકી વેરો હોય તેવા સંપત્તિ ધારકોને ગુલાબનુ ફુલ આપી બાકી વેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહ દ્વારા પણ બાકી વેરાધારકોને મળી ગુલાબનું ફુલ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા અને દરેક નાગરિકોને અપીલ કરી કે પોતાનો બાકી વેરો વહેલામાં વહેલી તકે ભરી દેવામા આવે.

Related posts

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

સુરત તરફ જઈ રહેલ પરિવારની કારને ધરમપુર ચાર રસ્‍તા હાઈવે ઉપર ટ્રકે ટક્કર મારી: મળસ્‍કે થયેલા અકસ્‍માતમાં તમામ કાર સવાર મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment