April 21, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના ઉપાધ્‍યક્ષ ડો. અપૂર્વ શર્માએ ગલોન્‍ડાના 8 સ્‍કાઉટ ગાઈડને 18મી રાષ્ટ્રીય જમ્‍બુરીમાં સામેલ થવા પર દરેક સ્‍કાઉટ ગાઈડ અને લીડર્સને શુભકામના આપી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી શ્રી જયેશ ભંડારીએ જણાવ્‍યું હતું કે દાનહ અને દમણ-દીવના કુલ 50 સભ્‍યો 4થી જાન્‍યુઆરીથી 10 જાન્‍યુઆરી, 2023 સુધી પાલી-રાજસ્‍થાન ખાતે યાોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ સફળતા મેળવશે. જેમાંમાર્ચપાસ્‍ટ, કલર પાર્ટી, ફૂડ પ્‍લાઝા, ટેન્‍ટ બનાવવા, ગેજેટ બનાવવા, પ્રદર્શની, પીજન શો અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધામાં ભાગ લેશે.
રાજસ્‍થાનના પાલી ખાતે રવાના થનારા સ્‍કાઉટોને દાનહના ઉપ કલેક્‍ટર અને સ્‍કાઉટ અધ્‍યક્ષ સુશ્રી ચાર્મી પારેખે મળી શુભકામના આપી હતી અને પ્રદેશનું નામ રોશન કરવા પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્‍યોમાંથી અને 7 વિદેશોમાંથી આવેલ કુલ 35 હજાર સ્‍કાઉટ ગાઈડ સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. જેમાં દરેક પોતપોતાના પ્રદેશની વેશભૂષા, ખાનપાન, પ્રદર્શની કલાકૃતિ અને સંસ્‍કૃતિનું અદાન-પ્રદાન કરશે. આ શિબિરનું સંચાલન અને નેતૃત્‍વ દાનહ સ્‍કાઉટ ગાઈડના સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ, સેલવાસ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી આલોકકુમાર ઝા, ગાઈડ રૂબીના સૈયદ, દીવ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી વૈભવ સિંહ, જિલ્લા પંચાયત ગલોન્‍ડા સ્‍કાઉટ માસ્‍ટર શ્રી નેહલ કિયારા, શ્રી અજય હરિજન રલેવમ અને અંજલિ સેન કરશે.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

Leave a Comment