September 1, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના ઉપાધ્‍યક્ષ ડો. અપૂર્વ શર્માએ ગલોન્‍ડાના 8 સ્‍કાઉટ ગાઈડને 18મી રાષ્ટ્રીય જમ્‍બુરીમાં સામેલ થવા પર દરેક સ્‍કાઉટ ગાઈડ અને લીડર્સને શુભકામના આપી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી શ્રી જયેશ ભંડારીએ જણાવ્‍યું હતું કે દાનહ અને દમણ-દીવના કુલ 50 સભ્‍યો 4થી જાન્‍યુઆરીથી 10 જાન્‍યુઆરી, 2023 સુધી પાલી-રાજસ્‍થાન ખાતે યાોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ સફળતા મેળવશે. જેમાંમાર્ચપાસ્‍ટ, કલર પાર્ટી, ફૂડ પ્‍લાઝા, ટેન્‍ટ બનાવવા, ગેજેટ બનાવવા, પ્રદર્શની, પીજન શો અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધામાં ભાગ લેશે.
રાજસ્‍થાનના પાલી ખાતે રવાના થનારા સ્‍કાઉટોને દાનહના ઉપ કલેક્‍ટર અને સ્‍કાઉટ અધ્‍યક્ષ સુશ્રી ચાર્મી પારેખે મળી શુભકામના આપી હતી અને પ્રદેશનું નામ રોશન કરવા પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્‍યોમાંથી અને 7 વિદેશોમાંથી આવેલ કુલ 35 હજાર સ્‍કાઉટ ગાઈડ સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. જેમાં દરેક પોતપોતાના પ્રદેશની વેશભૂષા, ખાનપાન, પ્રદર્શની કલાકૃતિ અને સંસ્‍કૃતિનું અદાન-પ્રદાન કરશે. આ શિબિરનું સંચાલન અને નેતૃત્‍વ દાનહ સ્‍કાઉટ ગાઈડના સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ, સેલવાસ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી આલોકકુમાર ઝા, ગાઈડ રૂબીના સૈયદ, દીવ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી વૈભવ સિંહ, જિલ્લા પંચાયત ગલોન્‍ડા સ્‍કાઉટ માસ્‍ટર શ્રી નેહલ કિયારા, શ્રી અજય હરિજન રલેવમ અને અંજલિ સેન કરશે.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

સરીગામમાં ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

ગોવા બેડમિન્‍ટ એસો. દ્વારા આયોજીત સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah

પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી

vartmanpravah

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

Leave a Comment