October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના ઉપાધ્‍યક્ષ ડો. અપૂર્વ શર્માએ ગલોન્‍ડાના 8 સ્‍કાઉટ ગાઈડને 18મી રાષ્ટ્રીય જમ્‍બુરીમાં સામેલ થવા પર દરેક સ્‍કાઉટ ગાઈડ અને લીડર્સને શુભકામના આપી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી શ્રી જયેશ ભંડારીએ જણાવ્‍યું હતું કે દાનહ અને દમણ-દીવના કુલ 50 સભ્‍યો 4થી જાન્‍યુઆરીથી 10 જાન્‍યુઆરી, 2023 સુધી પાલી-રાજસ્‍થાન ખાતે યાોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ સફળતા મેળવશે. જેમાંમાર્ચપાસ્‍ટ, કલર પાર્ટી, ફૂડ પ્‍લાઝા, ટેન્‍ટ બનાવવા, ગેજેટ બનાવવા, પ્રદર્શની, પીજન શો અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધામાં ભાગ લેશે.
રાજસ્‍થાનના પાલી ખાતે રવાના થનારા સ્‍કાઉટોને દાનહના ઉપ કલેક્‍ટર અને સ્‍કાઉટ અધ્‍યક્ષ સુશ્રી ચાર્મી પારેખે મળી શુભકામના આપી હતી અને પ્રદેશનું નામ રોશન કરવા પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્‍યોમાંથી અને 7 વિદેશોમાંથી આવેલ કુલ 35 હજાર સ્‍કાઉટ ગાઈડ સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. જેમાં દરેક પોતપોતાના પ્રદેશની વેશભૂષા, ખાનપાન, પ્રદર્શની કલાકૃતિ અને સંસ્‍કૃતિનું અદાન-પ્રદાન કરશે. આ શિબિરનું સંચાલન અને નેતૃત્‍વ દાનહ સ્‍કાઉટ ગાઈડના સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ, સેલવાસ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી આલોકકુમાર ઝા, ગાઈડ રૂબીના સૈયદ, દીવ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી વૈભવ સિંહ, જિલ્લા પંચાયત ગલોન્‍ડા સ્‍કાઉટ માસ્‍ટર શ્રી નેહલ કિયારા, શ્રી અજય હરિજન રલેવમ અને અંજલિ સેન કરશે.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટને કાર્ડિયાક/ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાઇ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

ચીખલીના હરણગામ કાવેરી નદી પરના બ્રિજના પિલ્લરોમાં તિરાડ અને સળિયા દેખાતા મરામત માટે ઉઠેલી માંગ

vartmanpravah

Leave a Comment