Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો આનંદ માણવા અમદાવાદથી પુના સુધીના 1 હજારથી વધુ લોકો ઉમટ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા. 02: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા નામધા કે.કે.ભંડારી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ફાઇનલમાં ‘વાપી એ’ ટીમ ચેમ્‍પિયન બની હતી. અમદાવાદથી લઈ સુરત સુધી વસેલા દૈવજ્ઞ સમાજના બાંધવોને એક તાંતણે બાંધવા છેલ્લા 29 વર્ષથી યોજવામાં આવી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટને અવિરત આગળ ધપાવતા વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા નામધામાં આવેલા કે.કે.ક્રિકેટ ભંડારી ગ્રાઉન્‍ડ ખાતે રવિવારે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ‘વાપી એ’, ‘વાપી બી’ તેમજ દમણ, ધરમપુર, વલસાડ, સુરત અને મુંબઈની ટીમ વચ્‍ચે યોજાયેલી આ ટૂર્નામેન્‍ટમાં સૌથી વધુ રોમાંચક મેચ ધરમપુર અને વાપી વચ્‍ચે રહી હતી જેમાં વાપીના 71 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાને ઉતારેલી ધરમપુરની ટીમે નિર્ધારિત 8 ઓવરમાં 70 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. જેથી સુપર ઓવર રમાડવામાં આવી હતી. જેમાં ધરમપુરની ટીમ માત્ર 7 રન કરી શકતા વાપીની ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી.
આ પહેલાં સેમિફાનલ મેચમાં વાપીની ટીમે મુંબઈની ટીમનેહરાવી ફાઈનાલમાં પહોંચીહતી. ફાઈનલમાં ‘વાપી બી’ ટીમને સરળતાથી હરાવી ‘વાપીની એ’ ટીમ ચેમ્‍પિયન બની હતી. આ ટૂર્નામેન્‍ટમાં વાપી પાલિકા ઉપ પ્રમુખ શ્રી અભય ભાઈ નહારે ઉપસ્‍થિત રહી ચેમ્‍પિયન અને રનર્સ અપ ટીમને રોકડ પુરસ્‍કાર જાહેર કરી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. ચેમ્‍પિયન ટીમને વાપી દૈવજ્ઞ સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગજરેના હસ્‍તે ટ્રોફી એનાયત કરાઈ હતી. જ્‍યારે રનર્સ અપ ટીમને મિત્રમંડળ પ્રમુખ શ્રી ચેતન તલેકરના હસ્‍તે ટ્રોફી એનાયત કરાઈ હતી. ટૂર્નામેન્‍ટમાં મેન ઓફ ધ સિરીઝ તરીકે શ્રી દિવ્‍યાંગ ગજરે, મેન ઓફ ધ મેચ અને બેસ્‍ટ બોલર તરીકે શ્રી રિતેશ દૈવજ્ઞ, બેસ્‍ટ બેસ્‍ટમેન તરીકે શ્રી જશેષ ચોનકર, બેસ્‍ટ ફિલ્‍ડર શ્રી માધવ તળેકરને વિવિધ શહેરમાંથી આવેલ સમાજના અગ્રણીઓના હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્‍ટનો આનંદ અને રોમાંચ માણવા અમદાવાદથી મુંબઈ અને પુના સુધીના સમાજના 1 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.

Related posts

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

Leave a Comment