Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

દર વર્ષે ઉત્તરોત્તર નફો વધવા સાથે શેર ભંડોળમાં પણ થઈ રહેલો ઈજાફોઃ વર્તમાન ત્રિમાસિક ગાળામાં બેંકે 4.08 કરોડના નફા સાથે સર્જેલો ઈતિહાસ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સંચાલન સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળ્‍યું ત્‍યારથી આજ સુધી તેમના નેતૃત્‍વમાં બેંક હરણફાળ પ્રગતિ કરી રહી છે અને તેમના બે વર્ષના કાર્યકાળમાં પારદર્શક અને ગતિશીલ વહીવટથી બેંકની કાયાપલટ કરાતા સભાસદો તથા બેંકના માનવંતા ગ્રાહકો અને કર્મચારીઓમાં પણ પ્રસન્નતાની લાગણી જન્‍મી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2020-21માં દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા રૂા.12 કરોડથી વધુ નફો કરી શેરધારકો તથા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા સફળ રહ્યા હતા. જ્‍યારે વર્ષ 2021-22માં 9.50 કરોડનો નફો બેંકે કર્યો હતો. વર્ષ 2022-23ના પહેલાં ત્રિમાસિકમાં પણ છેલ્લા બે વર્ષની જેમ બેંકે નફાકારકતા જાળવી રૂા.2.48 કરોડનો નફો કર્યો હતો, તથા ત્રિમાસિક મૂડીમાં રૂા.56 લાખનો વધારો કરી શેર ભંડોળરૂા.18 કરોડ સુધી લઈ જવા સફળ રહ્યા છે. બીજા ત્રિમાસિકમાં પણ પહેલાં ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.2.75 કરોડનો નફો કર્યો છે અને શેર મૂડીમાં પણ રૂા.43.46 લાખનો વધારો કરાયો છે.
ત્રીજા ત્રિમાસિકમાં પણ બીજા ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.4.08 કરોડનો નફો કર્યો છે જે અત્‍યાર સુધીનો ઐતિહાસિક ત્રિમાસિક નફો છે. તથા ત્રીજા ત્રિમાસિક શેર મૂડીમાં પણ રૂા.1.11 કરોડનો વધારો કરતા શેર ભંડોળ રૂા.19.63 કરોડ સુધી પહોંચી ગયું છે.
બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા તથા બેંકની સમર્પિત ટીમના કારણે આજે સહકારી બેંકિંગના ક્ષેત્રે ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની તુલના આગળ ધપતી બેંક તરીકે થઈ રહી છે.

Related posts

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

Leave a Comment