Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

દાનહ સાયલીના પરિવારે હાથ ઉપરની જનોઈ જોઈને કિશોરની ઓળખ કરી : ગુનાનો ભેદ હજુ પણ વણઉકેલ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.04 : વાપી કરવડ ગામે દમણગંગા સિંચાઈની કેનાલમાંથી આશરે 10 વર્ષિય કિશોરની માથા અને એક પગ વગરની બે દિવસ પહેલાં લાશ મળી હતી. કેનાલ દાનહ અને ગુજરાત બન્ને પ્રદેશ વચ્‍ચે વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસે ચાંપતી સંયુક્‍ત તપાસ હાથ ધરી હતી. જેમાં ડુંગરા પોલીસે ડી.એન.એ. કરાવ્‍યા બાદ લાશનો ભેદ ઉકેલવાની સફળતા સાંપડી હતી.
વાપી-કરવડમાં બેદિવસ પહેલાં દમણગંગા નહેરના પાણીમાં તણાતી આવેલી એક આશરે 10 વર્ષિય કિશોરની લાશ મળી આવી હતી. લાશની સ્‍થિતિ કોઈને પણ હચમચાવી નાખે તેવી હતી. કારણ કે લાશનું માથું અને પગ હતો નહી તેથી બાળકની ક્રુર હત્‍યા કરી નહેરમાં ફેંકી દેવાયુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું. નહેર બન્ને પ્રદેશ ગુજરાત અને દાનહ વચ્‍ચે થઈને વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસ તપાસમાં દોડતી થઈ હતી. જેમાં ડુંગરા પોલીસે લાશને ડી.એન.એ ટેસ્‍ટ પણ કરાવ્‍યો હતો તો બીજી તરફ ઘટના અતિ પ્રકાશમાં આવી ગઈ હોવાથી દાનહ સાયલીનો પરિવાર આગળ આવ્‍યો હતો. તેમનું બાળક ગુન હતું તેની તપાસ ચાલુ હતી. પોલીસનો પરિવારે સંપર્ક કર્યો અને લાશના હાથ ઉપર બાંધેલ જનોઈને જોઈ બાળકની ઓળખ કરી હતી. જો કે આ રહસ્‍યમયી ઘટનાની તપાસ હજુ અધુરી જ છે કારણ કે બાળકની ક્રૂરહત્‍યાનો ભેદ ઉકેલવાની એક એક કડીની પોલીસ આગળની તપાસ કરી રહી છે. હાલ તો રહસ્‍ય વણઉકેલ્‍યું રહ્યું છે.

Related posts

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત કચીગામ ગ્રા.પં.ના સરપંચ ભરતભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ વિશેષ ગ્રામસભા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

vartmanpravah

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

Leave a Comment