Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

દાનહ સાયલીના પરિવારે હાથ ઉપરની જનોઈ જોઈને કિશોરની ઓળખ કરી : ગુનાનો ભેદ હજુ પણ વણઉકેલ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.04 : વાપી કરવડ ગામે દમણગંગા સિંચાઈની કેનાલમાંથી આશરે 10 વર્ષિય કિશોરની માથા અને એક પગ વગરની બે દિવસ પહેલાં લાશ મળી હતી. કેનાલ દાનહ અને ગુજરાત બન્ને પ્રદેશ વચ્‍ચે વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસે ચાંપતી સંયુક્‍ત તપાસ હાથ ધરી હતી. જેમાં ડુંગરા પોલીસે ડી.એન.એ. કરાવ્‍યા બાદ લાશનો ભેદ ઉકેલવાની સફળતા સાંપડી હતી.
વાપી-કરવડમાં બેદિવસ પહેલાં દમણગંગા નહેરના પાણીમાં તણાતી આવેલી એક આશરે 10 વર્ષિય કિશોરની લાશ મળી આવી હતી. લાશની સ્‍થિતિ કોઈને પણ હચમચાવી નાખે તેવી હતી. કારણ કે લાશનું માથું અને પગ હતો નહી તેથી બાળકની ક્રુર હત્‍યા કરી નહેરમાં ફેંકી દેવાયુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું. નહેર બન્ને પ્રદેશ ગુજરાત અને દાનહ વચ્‍ચે થઈને વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસ તપાસમાં દોડતી થઈ હતી. જેમાં ડુંગરા પોલીસે લાશને ડી.એન.એ ટેસ્‍ટ પણ કરાવ્‍યો હતો તો બીજી તરફ ઘટના અતિ પ્રકાશમાં આવી ગઈ હોવાથી દાનહ સાયલીનો પરિવાર આગળ આવ્‍યો હતો. તેમનું બાળક ગુન હતું તેની તપાસ ચાલુ હતી. પોલીસનો પરિવારે સંપર્ક કર્યો અને લાશના હાથ ઉપર બાંધેલ જનોઈને જોઈ બાળકની ઓળખ કરી હતી. જો કે આ રહસ્‍યમયી ઘટનાની તપાસ હજુ અધુરી જ છે કારણ કે બાળકની ક્રૂરહત્‍યાનો ભેદ ઉકેલવાની એક એક કડીની પોલીસ આગળની તપાસ કરી રહી છે. હાલ તો રહસ્‍ય વણઉકેલ્‍યું રહ્યું છે.

Related posts

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

Leave a Comment