Vartman Pravah
Breaking Newsસેલવાસ

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૦૬: સંઘપ્રદેશમાં તંબાકુ નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે દરેક વિભાગ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, ઍક્સાઈઝ, પંચાયત અને નગરપાલિકા સંયુક્ત પ્રયાસરત થયા છે. ત્યારે આજે દાદરા નગર હવેલીના રખોલી પંચાયતના મîત્રી અને પંચાયત સ્ટાફ દ્વારા વિસ્તારના વિવિધ પાનના લારી-ગલ્લા અને હોલસેલની પાન-મસાલાની દુકાનો ઉપર રેડી પાડી તપાસ કરતા અંદાજીત ૩૦કિલો જેટલો તîબાકુ અને ગુટકાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પંચાયતે ઝડપી પાડેલ તંબાકુ અને ગુટકાના જથ્થાનો નાશ કરી દીધો હતો અને રખોલી પંચાયત દ્વારા પંચાયત વિસ્તારના લોકોને તમાકુ મુક્ત કરવા માટેની ઝુંબેશ ચલાવી તેમાં સાથ-સહકાર આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી. આ ઝુંબેશમાં થોડાઅંશે કામયાબી પણ મળી છે અને આગળ પણ પંચાયતના મંત્રી અને પîચાયત સ્ટાફ દ્વારા લોકોના આરોગ્યના ભલા માટે તંબાકુ મુક્ત કરવા માટેની ઝુંબેશ અવિરત ચલાવવામાં આવનાર હોવાની ગ્રામજનોને માહિતી આપી હતી.

Related posts

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

Leave a Comment