July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલીના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૦૬ : દાદરા નગર હવેલીના સાયલી ગામના ઢીંઢાપાડાના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓને પોલીસ ­શાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી તાત્કાલિક ધોરણે સખ્ત અને કડકમાં કડક સજા કરવા માટેની માંગ સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલી ઢીંઢાપાડા ગામના શ્રી ચૈતાભાઈ ગણેશભાઈ કોલાના ૯ વર્ષના માસુમ બાળકની ખુબ જ બેરહેમી અને ક્રુરતાથી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવી જઘન્ય ઘટના ­દેશના આદિવાસી સમાજ અને ખાસ કરીને વારલી સમાજમાં ક્યારેય પણ બનેલ નથી, અને ૯ વર્ષિય બાળકની જે રીતે શરીરના અîગો પણ છુટા પડી ગયેલ ઍવી ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવને લઈને સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપેલો છે. ત્યારે આવા જઘન્ય ક્રુરતા આચરનારાઓને પોલીસ પ્રશાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં ઢસડી કડકમાં કડકમાં સજા કરવામાં આવે ઍ માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઈને ભોગ બનનાર બાળકના પરિવારને તાત્કાલિક ન્યાય મળે ઍવી માંગ દાનહ જિલ્લા કલેક્ટર અને ઍસ.પી. સમક્ષ કરી છે.
મળેલ માહિતી મુજબ હત્યાના આરોપીઓની પોલીસને ધરપકડ કરવામાં સફળતા મળી છે જે ખુબ જ સરાહનીય હોવાનું પણ શ્રી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment