(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૦૬ : દાદરા નગર હવેલીના સાયલી ગામના ઢીંઢાપાડાના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓને પોલીસ શાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી તાત્કાલિક ધોરણે સખ્ત અને કડકમાં કડક સજા કરવા માટેની માંગ સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલી ઢીંઢાપાડા ગામના શ્રી ચૈતાભાઈ ગણેશભાઈ કોલાના ૯ વર્ષના માસુમ બાળકની ખુબ જ બેરહેમી અને ક્રુરતાથી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવી જઘન્ય ઘટના દેશના આદિવાસી સમાજ અને ખાસ કરીને વારલી સમાજમાં ક્યારેય પણ બનેલ નથી, અને ૯ વર્ષિય બાળકની જે રીતે શરીરના અîગો પણ છુટા પડી ગયેલ ઍવી ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવને લઈને સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપેલો છે. ત્યારે આવા જઘન્ય ક્રુરતા આચરનારાઓને પોલીસ પ્રશાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં ઢસડી કડકમાં કડકમાં સજા કરવામાં આવે ઍ માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઈને ભોગ બનનાર બાળકના પરિવારને તાત્કાલિક ન્યાય મળે ઍવી માંગ દાનહ જિલ્લા કલેક્ટર અને ઍસ.પી. સમક્ષ કરી છે.
મળેલ માહિતી મુજબ હત્યાના આરોપીઓની પોલીસને ધરપકડ કરવામાં સફળતા મળી છે જે ખુબ જ સરાહનીય હોવાનું પણ શ્રી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું.