December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલીના નરોલી ગામે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામા આવ્‍યો છે. વ્‍યાસપીઠ ઉપરથી પરમ પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્‍ય પૂ.શ્રી હરેશભાઈ ભોગાયતાની ઓજસ્‍વી વાણી દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવશે. આજે રવિવારના રોજ બપોરે અઢી વાગ્‍યે શ્રી ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણના નિવાસસ્‍થાનેથી ભવ્‍ય પોથીયાત્રા નીકળી હતી અને આ પોથીયાત્રા બાલેશ્વર મહાદેવ મંદિર જ્ઞાનયજ્ઞ સ્‍થળે પહોંચી હતી. આ જ્ઞાનયજ્ઞમાં વામન અવતાર, શ્રી રામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો પ્રસ્‍તુત કરાશે. કથાનો સમય બપોરે 3:00વાગ્‍યાથી સાંજે 6:00વાગ્‍યાનો છે. કથા વિરામ 14 જાન્‍યુઆરી શનિવારના દિવસે કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી હરિહર ભાગવત સેવા સમિતિ નરોલી દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

Related posts

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્‍ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું લક્ષદ્વીપના કવરત્તી ખાતે આગમન : અધિકારીઓ સાથે શરૂ થયેલોચર્ચા-વિચારણાનો દોર

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment