October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

પાંડેસરા 1 હજાર લીટરનો દર 32 રૂા., સચીનમાં 44.60 રૂા. તો વાપીમાં 64 રૂા. હજાર લીટરનો ભાવ વસુલાઈ રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત રાજ્‍યમાં આવેલ 180 ઉપરાંત ઔદ્યોગિક વસાહતોમાં જી.આઈ.ડી.સી. દ્વારા પાણી દર અલગ અલગ વસુલાત થઈ રહ્યો છે તેમાં પણ વાપી જીઆઈડીસીમાં પાણીનો દર અન્‍ય જીઆઈડીસી કરતા 10 થી 30 રૂા. જેટલો પ્રતિ હજાર લીટર દીઠ ઊંચો વસુલાત થઈ રહ્યો હોવાને લીધે વસાહતના ઉદ્યોગકારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ગત શનિવારે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની સરસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં ઉદ્યોગોના પ્રશ્નો, પડતર પ્રશ્નોની વિશદચર્ચા અને રજૂઆત થઈ હતી. જેમાં પાંડેસરા વસાહતમાં 1 હજાર લીટર પાણીનો દર 32 રૂા. છે. જ્‍યારે સચીનમાં પ્રતિ હજાર લીટરે 44.60 નો ભાવ હોવા છતાં પણ પ્રશ્ન ઉઠયો હતો. જ્‍યારે વાપી જીઆઈડીસીમાં પાણીનો ભાવ પ્રતિ હજાર લીટરે 64 રૂા. એટલે અસમાન દરો અંગેની ચર્ચા થવી જોઈતી હતી અને સમાંતર દર હોવાનો કચવાટ વાપીના ઉદ્યોગકારોને હજુ આજે પણ છે. આ બાબતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના ઉદ્યોગકારોના હિતમાં સરકારમાં પાણી દરનો મુદ્દો ઉઠાવવો રહ્યો તેવું ઉદ્યોગકારો ઈચ્‍છી રહ્યા હતા.

Related posts

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment