July 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

પાંડેસરા 1 હજાર લીટરનો દર 32 રૂા., સચીનમાં 44.60 રૂા. તો વાપીમાં 64 રૂા. હજાર લીટરનો ભાવ વસુલાઈ રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત રાજ્‍યમાં આવેલ 180 ઉપરાંત ઔદ્યોગિક વસાહતોમાં જી.આઈ.ડી.સી. દ્વારા પાણી દર અલગ અલગ વસુલાત થઈ રહ્યો છે તેમાં પણ વાપી જીઆઈડીસીમાં પાણીનો દર અન્‍ય જીઆઈડીસી કરતા 10 થી 30 રૂા. જેટલો પ્રતિ હજાર લીટર દીઠ ઊંચો વસુલાત થઈ રહ્યો હોવાને લીધે વસાહતના ઉદ્યોગકારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ગત શનિવારે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની સરસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં ઉદ્યોગોના પ્રશ્નો, પડતર પ્રશ્નોની વિશદચર્ચા અને રજૂઆત થઈ હતી. જેમાં પાંડેસરા વસાહતમાં 1 હજાર લીટર પાણીનો દર 32 રૂા. છે. જ્‍યારે સચીનમાં પ્રતિ હજાર લીટરે 44.60 નો ભાવ હોવા છતાં પણ પ્રશ્ન ઉઠયો હતો. જ્‍યારે વાપી જીઆઈડીસીમાં પાણીનો ભાવ પ્રતિ હજાર લીટરે 64 રૂા. એટલે અસમાન દરો અંગેની ચર્ચા થવી જોઈતી હતી અને સમાંતર દર હોવાનો કચવાટ વાપીના ઉદ્યોગકારોને હજુ આજે પણ છે. આ બાબતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના ઉદ્યોગકારોના હિતમાં સરકારમાં પાણી દરનો મુદ્દો ઉઠાવવો રહ્યો તેવું ઉદ્યોગકારો ઈચ્‍છી રહ્યા હતા.

Related posts

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

Leave a Comment