Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અન્‍વયે યોજાયેલ કાર્યક્રમ : પોલીસ વિભાગના પ્રશ્નો ચર્ચાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજે શુક્રવારે બપોરે રેન્‍જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્‍થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત-5 જાન્‍યુઆરીથી સમગ્ર ગુજરાતમાં વ્‍યાજખોરી અને સામાજીક શોષણ અટકાવવા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવાઈ રહી છે તે અંતર્ગત આજે વી.આઈ.એ. હોલ સુરત રેન્‍જ આઈજી પિયુષ પટેલ અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની વિશિષ્‍ઠ ઉપસ્‍થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વી.આઈ.એ.ના માનદ સેક્રેટરી સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ સહિત આગેવાન ઉદ્યોગપતિ, સામાજીક, રાજકીય કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આઈ.જી. પિયુષ પટેલે જણાવ્‍યું હતું કે, વ્‍યાજખોરી સમાજનું દુષણ છે. જેને ડામવા માટે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 કાર્યરત છે. શોષિત લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. લોકો આગળ આવે તો જ સાચા અર્થમાં આ જનસંપર્ક કાર્યક્રમ સફળલેખાશે. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અન્‍ય પ્રશ્નો પણ લોકોએ રજૂ કર્યા હતા.

Related posts

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

અશ્વમેઘ વિધાલય સોઢલવાડામાં વિજ્ઞાનપ્રવાહમાં પલક વિપુલભાઈ પટેલ B1ગ્રેડ PR 79.09 મેળવી મેળવીને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્‍દ્રમાં માનસિક અશક્‍ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment