April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલીમાં વસંતપંચમીની તૈયારી માટે કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આવનાર 26મી જાન્‍યુઆરીએ વસંત પંચમી છે. આ દિવસે સરસ્‍વતી પૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સરસ્‍વતી પૂજા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે, જ્‍યારે છ ઋતુઓમાંથી વસંતઋતુ સૌથી મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. વસંતઋતુમાં ફૂલો આવે છે અને ખેતરોમાં પણ અનેક પ્રકારના પાક ખીલવા લાગે છે. સાથોસાથ પતંગિયાઓ પણ પાક ઉપર મંડરાતા જોવા મળે છે. વસંતપંચમી વસંતઋતુના મહિનાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસને સરસ્‍વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવેછે. સરસ્‍વતી પૂજાનો પાવન ઉત્‍સવ માઘ મહિનાના શુક્‍લ પક્ષે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્‍વતીનો જન્‍મદિવસ વસંત પંચમીના દિવસે આવે છે.
આ તહેવાર પર ખાસ દેવી સરસ્‍વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્‍વતીને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્‍વતીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્‍યક્‍તિ સરસ્‍વતી માતાની પૂજા કરે છે અને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના આશીર્વાદ માંગે છે.
સરસ્‍વતી પૂજા નિમિત્તે સેલવાસમાં આમલી વિસ્‍તારમાં મૂર્તિના કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મૂર્તિ બનાવવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવ્‍યો હતો. આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પર્યાવરણ ફ્રેન્‍ડલી બનાવવામાં આવી રહી છે.

Related posts

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

Leave a Comment