April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કરમબેલાના ભાજપના યુવા નેતા આનંદ શાહે એમની ટીમે સાથે ધારાસભ્‍ય પાટકરની મુલાકાત કરી પાઠવેલા અભિનંદન અને મેળવેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.08 : ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમરગામ તાલુકા 182 નંબરની બેઠક પર 64786 જેટલા જંગી મતોની સરસાઈથી ઐતિહાસિક અને ભવ્‍ય જીત હાંસલ કરનાર વિજેતા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની આજરોજ એમના નિવાસ્‍થાને કરમબેલાના યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈ શાહ અને એમની યુવા વિશાળ ટીમે અભિનંદન પાઠવવા શુભેચ્‍છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈ શાહ અને એમની ટીમે ચૂંટણીના પ્રચાર દરમિયાન એમના વિસ્‍તારમાં જીતના વિશ્વાસ સાથે કરેલી સફળ કામગીરી કરી ઐતિહાસિક જીતમાં આપેલા યોગદાનની ભારે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈશાહને રાજકીય ક્ષેત્રે આગળ આવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ઉજવળ કારકિર્દી માટે આશીર્વાદ પણ આપ્‍યા હતા. ભાજપના યુવા નેતા શ્રી આનંદભાઈ શાહે આ અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એમના પેનલે ભવ્‍ય વિજય હાસલ કરી મતદારામાં રહેલા એમના પ્રભાવની સાબિતી પૂરી દીધી હતી. આજરોજ ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકરના નિવાસ્‍થાને શ્રી આનંદભાઈ અને એમની વિશાળ યુવા ટીમમાં શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ ધોડી, શ્રી મિતાંગભાઈ પટેલ, શ્રી સાજન ભાઈ પટેલ, શ્રી આશિષભાઈ પટેલ, શ્રી રાજુભાઈ રોહિત, શ્રી સંજયભાઈ રોહિત, શ્રી ચંદુભાઈ હળપતિ, શ્રી સાગરભાઈ હળપતિ, શ્રી કેવલભાઈ પટેલ અને શ્રી દિવ્‍યેશ એમ પટેલ સહિત મોટી સંખ્‍યામાં યુવાનો જોડાયા હતા.

Related posts

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment