September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કરમબેલાના ભાજપના યુવા નેતા આનંદ શાહે એમની ટીમે સાથે ધારાસભ્‍ય પાટકરની મુલાકાત કરી પાઠવેલા અભિનંદન અને મેળવેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.08 : ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમરગામ તાલુકા 182 નંબરની બેઠક પર 64786 જેટલા જંગી મતોની સરસાઈથી ઐતિહાસિક અને ભવ્‍ય જીત હાંસલ કરનાર વિજેતા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની આજરોજ એમના નિવાસ્‍થાને કરમબેલાના યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈ શાહ અને એમની યુવા વિશાળ ટીમે અભિનંદન પાઠવવા શુભેચ્‍છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈ શાહ અને એમની ટીમે ચૂંટણીના પ્રચાર દરમિયાન એમના વિસ્‍તારમાં જીતના વિશ્વાસ સાથે કરેલી સફળ કામગીરી કરી ઐતિહાસિક જીતમાં આપેલા યોગદાનની ભારે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈશાહને રાજકીય ક્ષેત્રે આગળ આવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ઉજવળ કારકિર્દી માટે આશીર્વાદ પણ આપ્‍યા હતા. ભાજપના યુવા નેતા શ્રી આનંદભાઈ શાહે આ અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એમના પેનલે ભવ્‍ય વિજય હાસલ કરી મતદારામાં રહેલા એમના પ્રભાવની સાબિતી પૂરી દીધી હતી. આજરોજ ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકરના નિવાસ્‍થાને શ્રી આનંદભાઈ અને એમની વિશાળ યુવા ટીમમાં શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ ધોડી, શ્રી મિતાંગભાઈ પટેલ, શ્રી સાજન ભાઈ પટેલ, શ્રી આશિષભાઈ પટેલ, શ્રી રાજુભાઈ રોહિત, શ્રી સંજયભાઈ રોહિત, શ્રી ચંદુભાઈ હળપતિ, શ્રી સાગરભાઈ હળપતિ, શ્રી કેવલભાઈ પટેલ અને શ્રી દિવ્‍યેશ એમ પટેલ સહિત મોટી સંખ્‍યામાં યુવાનો જોડાયા હતા.

Related posts

પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર દાનહમાં આદિવાસી મહિલા જતરૂબેન ધુમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ઉપર યોજાયેલ ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6માં ખાનવેલ કિંગ ચેમ્‍પિયન

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment