Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

740 એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ શરૂ કરવાની જાહેરાતથી દેશના આદિવાસી સમુદાયમાં શિક્ષણની ઉઘડનારી ભૂખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના યુવા નેતા અને આગેવાન ધારાશાષાી સનિ ભીમરાએ નાણાંમંત્રી શ્રીમતી નિર્મલાસીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબ હોવાનું જણાવ્‍યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકા વધારી રૂા.79 હજાર કરોડથી વધુની કરેલી ફાળવણીથી દેશના આદિવાસી, દલિત, પીડિત સહિત ઘરવિહોણાં તમામનું પોતાના ઘરનું સ્‍વપ્‍ન પૂર્ણ થશે એવી લાગણી દર્શાવી હતી. તેમણે અગામી 3 વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતા 740 એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ શરૂ કરવાની કરેલી જાહેરાતથી દેશના આદિવાસી સમુદાયમાં શિક્ષણની ભૂખ ઉઘડશે. જેના કારણે 2047 સુધી ભારતને વિશ્વની મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી સનિ ભીમરાએ મહિલાઓ, યુવાનો તથા આદિવાસી શોષિત, દલિત, પીડિત, તમામ વર્ગો માટે નવી દિશા આપનારૂં બજેટ ગણાવ્‍યું છે.

Related posts

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

વાપી ગોવિંદા કોમ્‍પલેક્ષમાં એગ્રીકલ્‍ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્‍યોત એગ્રો એન્‍ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ

vartmanpravah

Leave a Comment