April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

કવાલ ખાતે કાપડી સમાજનો સ્‍નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: કાપડી સમાજ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા સમાજનો 32મો સ્‍નેહ મિલન કાર્યક્રમ કોપરલી નજીકના કવાલ ગામે યોજાયો હતો. આ કાર્યક્રમની સાથે સાથે કાપડી સમાજની કુળદેવી હિંગળાજ માતાના નિર્માણ પામનાર મંદિરનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ કરવામાં આવ્‍યું હતું. આવનાર સમયમાં કવાલ ખાતે શુભ પ્રસંગે સમાજને ઉપયોગી આવે એ માટે વાડી બનાવવાનું આયોજન પણ છે.
આ પ્રસંગે શ્રી કાપડી સમાજ સાર્વજનિક ટ્રસ્‍ટના અગ્રણીઓએ મંદિર અને સમાજની વાડી માટે ભૂમિ દાન આપનાર દાતાશ્રી જવાહરભાઈ શાહ, શ્રી ભૂપેદ્રભાઈ શાહ, શ્રી ભાવિનભાઈ શાહ, કવાલ ગામના સરપંચ શ્રી મનોજભાઈ પટેલ, શ્રી પારસભાઈ દ્વિવેદીએ એકવીસ હજાર ઈંટનું દાન, શ્રી જયેશભાઈ ઠાકોર તરફથી મંદિર માટે કપચીનું દાન, શ્રી રુચિરભાઈ, શ્રી શૈલેષભાઈ મેહતાએ ટ્રસ્‍ટને રજીસ્‍ટર કરવા માટે ફી લીધા વગર કાર્ય કર્યું હતું. એ માટે તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે કાપડી સમાજના અગ્રણીઓ, કાપડી સમાજના પ્રમુખ શ્રી કાશભાઈ તંબોલી, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ જાલમ, શ્રી સંદીપ તંબોલી, શ્રીમતી જયશ્રીબેનપટેલ, શ્રી તુષાર પાનવાલા, શ્રી ધર્મેશ તંબોલી, શ્રી જતીન કાપડી, શ્રી જશુભાઈ તંબોલી, શ્રી સુરેશભાઈ કાપડી તથા કમિટી સભ્‍યો અને દાતાશ્રીઓ ઉપસ્‍થિ રહ્યા હતા.

Related posts

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

Leave a Comment