October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલી પોલીસે પ્રદેશમાં કાયદો વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે નવી યોજના પર કામ શરૂ કરી દીધું છે. જે યોજના અંતર્ગત પોલીસના જૂના રેકોર્ડવાળા આરોપીઓને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કરવાની પહેલી સૂચી જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ પોલીસે જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાને જાળવી રાખવા ગંભીર ગુનાઓ ધરાવતા આરોપીઓ વિરૂદ્ધ કડક હાર્થે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જિલ્લામાં દશ જેટલા આરોપીઓ વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો નોંધાયેલ છે. જેમાં વસૂલી, બ્‍લેકમેઈલિંગસહીત મારામારી, સામાજીક સદ્‌ભાવના બગાડનાર અને સમાજમાં ભય પેદા કરવા અંગેના કેસો સામેલ છે. આ હિસ્‍ટ્રીશીટર આરોપીઓમાં દાનહ ભાજપાના પૂર્વ પદાધિકારી ઉત્તમ વજીર પટેલ સહિત એડવોકેટ વિશાલ શ્રીમાળી, પૃથ્‍વી અશોકસિંહ રાઠોડ, પ્રભાસિંહ રાઠોડ, સુદેશ બાબુ સાલકર, સુરજ છોટુ વરઠા, જીગ્નેશ ભગત, પંકજ બાદલ પટેલ, વિરાજ ઠાકુર ખરપડિયા, મુકેશ શ્રવણ ધગાડા જેવા નામો સામેલ છે. આ લોકો વિરુદ્ધ ખાનવેલ અને સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં કેટલાક ગંભીર કેસો દાખલ છે. જેમાં મુખ્‍યરૂપે વસૂલી અને સામાજીક સૌહાર્દ બગાડવા અને બ્‍લેકમેઈલિંગ કરવાના કેસો સામેલ છે.
દાનહ પોલીસ દ્વારા બીજી યાદી પણ તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે, જેઓ વિરુદ્ધ વધુ ગંભીર ગુનાના કેસો દાખલ છે અને જે સમાજ અને સામાજીક વ્‍યવસ્‍થા માટે પડકાર છે. તેથી તેઓને કાયદાના દાયરામાં લેવા માટે બીજી યાદી તૈયાર કરવામાં આવી શકે છે. પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર આ લોકો માટે ચેતવણી છે કે જે સમાજમાં ડર અને ભય પેદા કરી પોતાનું કામ કરવા માંગે છે અને ગુનાહિત ગતિવિધિમાં લિપ્ત રહેવા માંગે છે અને સમય રહેતા સુધરવા નહીં માંગતા હોય તેઓ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી સંભવ છે. કારણ કે, પોલીસ અને પ્રશાસનનો પહેલો ઉદ્દેશ્‍ય એજ છે કે સ્‍વચ્‍છ અને પારદર્શી પ્રશાસન,ઉત્તમ કાયદો વ્‍યવસ્‍થા જેમાં દરેક માટે સમાન અધિકાર અને જીવવા માટે સન્‍માન સાથે અધિકાર મળી શકે.

Related posts

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment