December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્‍થ મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પાવન અવસરે પૂર્ણ પુરૂષોત્તમના પરમ ભક્‍ત અને વૈશ્વિક સંત ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી શરદભાઈ વ્‍યાસ વ્‍યાસપીઠ પર બિરાજી સ્‍વયંની અલૌકિક મધુરવાણી દ્વારા જ્ઞાનગંગાને વહેતી કરશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્‍સવમાં પોથીયાત્રા 21મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગે સાંઈબાબા મંદિર સાયલીથી નીકળી કથા સ્‍થળ ડેલકર ફાર્મ પર આવશે. ત્‍યારબાદ કથા પ્રારંભ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા દરમ્‍યાન રામ જન્‍મ, કળષ્‍ણ જન્‍મોત્‍સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહનું પણ આયોજન કરવામાં આવશે. કથા વિરામ તા. 27મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 3.00 વાગ્‍યાથી સાંજે 6.00 વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિકભક્‍તોને પધારવા ડેલકર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

‘ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ’ સ્‍પર્ધા માટે સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે થયેલી પસંદગી

vartmanpravah

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

vartmanpravah

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

Leave a Comment