Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાની સાદકપોર ગ્રામ પંચાયતની પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા સરપંચ જૂથમાં સોપો પડી જવા પામ્‍યો હતો. સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં આઠ અને વિરોધમાં ચાર મતોપડ્‍યા હતા. સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તને મામલે આજે ગ્રામ પંચાયત કચેરીમાં પોલીસ બંદોબસ્‍ત સાથે તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી ભારતીબેન પટેલ, તલાટી અસ્‍મિતાબેનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ પટેલ, સુભાષભાઈ વર્મા, દિવ્‍યાબેન, ભારતીબેન, દિવ્‍યાનીબેન, જ્‍યોત્‍સનાબેન, અનુમતિબેન, મનીષાબેન સહિતના આઠ જેટલા સભ્‍યોએ અને વિરૂધ્‍ધમાં સરપંચ દશરથભાઈ સહિત ચાર જેટલા મત પડતા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત વિના વિઘ્‍ને પાર પડી હતી.
ત્રણ દિવસની સમય મર્યાદામાં કોર્ટમાંથી સ્‍ટે ન મળશે તો દશરથ પટેલનો સરપંચ પદનો તાજ છીનવાઈ જશે. અને ડેપ્‍યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોપાશે.
સાદકપોરમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા સ્‍થાનિક ભાજપી આગેવાનો ગેલમાં આવી ગયા હતા. અને સ્‍થાનિક આગેવાન એવા એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન તાલુકા પંચાયત કારોબારી સમિતિના સભ્‍ય રમેશભાઈ પટેલ સહિતનાઓએ ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ પટેલ સહિત તમામ સભ્‍યોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

Leave a Comment