April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વન વિસ્‍તારમાં વિવિધ ગામોમાં નિવાસ કરતા વયોવૃધ્‍ધ અને જરૂરિયાતમંદો માટે વિવિધ સેવકાર્યોનું આયોજન થતું હતું. જે અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને રોજીંદા આહાર માટે જરૂરી એવી ખાદ્ય સામાગ્રી ઉપરાંત શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ધાબળા તેમજ સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સેવાકાર્ય દરમ્‍યાન દુર્ગમ વિસ્‍તારમાં આવેલ કાંચનપાડા તથા માનમોડી ગામ ખાતે સેહુલ નટુભાઈ પટેલ તથા બી.કે.ઝવેરીના સહયોગથી અનાજ, કઠોળ, તેલ વિગેરે ખાદ્ય સામાગ્રીકિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. બારીપાડા તથા ચીરાપાડા ગામ ખાતે નિવાસ કરતા ગરીબ પરિવારોને ધાબળા, સ્‍વેટર વિગેરેનું વિતરણ કાર્ય ધીરૂભાઈ ગાંધી, ભુપેન્‍દ્રભાઈ સુરતવાળા, ચિંતવન દેસાઈ, દેવેન્‍દ્ર પારેખના સહયોગથી સંપન્ન થયું હતું. વિવિધ આશ્રમશાળામાં નિવાસ કરી અભ્‍યાસ કરતા બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્‍સાહન મળે એ હેતુથી માંકડબંધ, બીલપુડી, મોગરા તેમજ સાંકળપાતળ સ્‍થિત આશ્રમશાળાના બાળકો માટે શૈક્ષણિક કીટ, ધાબળા, સ્‍વેટરનું વિતરણ તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેવા કર્યો માટે ડો.નિતિક્ષા પટેલ, વિનોદભાઈ આહીર, અશોકભાઈ પરમાર તથા કૈલાશબેન બોદાલીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટ ટાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ચીખલી તાલુકામાં એસએમસી અને એલસીબી પોલીસે કાટિંગ કરતા સમયે જ ત્રાટકી ચીમલા અને મીણકચ્છથી રૂ.૧૮.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah

Leave a Comment