Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.23: ચીખલીમાં ભંગારીયાઓ દ્વારા આરટીઓ દ્વારા નોંધણી રદ કરાયેલા એકાદ બે વાહનોની આડમાં બીજા વાહનોને પણ ગેરકાયદેસર રીતે તોડી નાંખી સ્‍પેર સ્‍પાર્ટ્‍સ વેચવાનો ધંધો કરવામાં આવી રહ્યો હોવાના અખબારી અહેવાલ વચ્‍ચે ગુરુવારના રોજ બાતમીના આધારે એસઓજી પોલીસે થાલામાં સેન્‍ટ્રલ બેંકની બાજુમાં આવેલ યુપી ઓટો મોબાઇલ્‍સનામની ભંગારની દુકાનમાં છાપો મારી તપાસ હાથ ધરતા એક કાળા રંગની હીરો હોન્‍ડા સીબી ઝેડ જેની નંબર પ્‍લેટ ઉપર જીજે21બી9302 નંબર હતો.અને બીજી એક હીરો હોન્‍ડા સ્‍ટ્રીટ લાલ રંગની મોપેડ જેની નંબર પ્‍લેટ ઉપર જીજે15એન7730 નંબર હતો તે બન્નેના આધાર પુરાવા બિલ માંગતા ન હોવાનું દુકાનમાં હાજર ઇમરાન બૈતુલા શેખ (રહે.સેન્‍ટ્રલ બેંકની બાજુમાં યુપી ઓટો મોબાઇલ્‍સ થાલા તા.ચીખલી) એજણાવતા અને મલિક અંગે પણ સંતોષકારક જવાબ ન આપતા પોલીસને આ વાહનો ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવતા રૂ.15,000/ ની કિંમતના બંને વાહનો કબ્‍જે કરી ઉપરોક્‍ત શખ્‍સની 41 (1) (ડી) મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ચીખલી તાલુકામાં ભંગારીયાઓ પાસે જે વાહનનો સ્‍પેર સ્‍પાર્ટ માંગો તે ઉપલબ્‍ધ હોય છે.અને કેટલાક બજારમાં નવા નક્કર આવેલ વાહનોના મોડેલ કે જેને કોઈ ભંગારમાં આપતું જ ન હોય તેવા વાહનોના સ્‍પેર સ્‍પાર્ટ પણ ઉપલબ્‍ધ હોવાનું કહેવાય છે.ત્‍યારે આવા વાહનોના સ્‍પેર સ્‍પાર્ટસ ભંગારીયાઓ પાસે આવે ક્‍યાંથી તેવા અનેક સવાલો વચ્‍ચે આજે એસઓજીની કાર્યવાહીથી તાલુકામાં ભંગારીયાઓ દ્વારા ખાસ કરીને ચોરીના વાહનોને તોડી સગેવગે કરી મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની વાતને સમર્થન મળવાપામ્‍યું છે. ત્‍યારે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ચીખલી પોલીસ જાગશે ખરી કે કેમ તે જોવું રહ્યું.

Related posts

પીપરીયા પુલ નજીક ટ્રકની ટક્કર લાગતા સ્‍કૂટી સવાર યુવતી ઘાયલ થતાં સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેમીકંડક્‍ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

Leave a Comment