September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્‍કારકરવા બદલ પારડીના તૃપ્તિબેન પરમારનું પારનેરાના ડુંગર ખાતે સન્‍માન

નેધરલેન્‍ડ સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડૉ.ભૈરવી જોશીના હસ્‍તે મોમેન્‍ટો આપી સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડીના નારી શક્‍તિ એવા તૃપ્તિબેન કલ્‍પેશભાઈ પરમારે સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્‍કાર કરી શારીરિક અને માનસિક તકલીફોને કાબુમાં લેવા બદલ તેમના નજીકના મિત્રોએ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગરની ટોચ પર પહોંચી વલસાડના સાયકલિંગ મેયર અને નેધરલેન્‍ડ સ્‍થિત સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડોક્‍ટર ભૈરવી જોશીના હસ્‍તે મોમેન્‍ટો આપી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ડોક્‍ટર ભૈરવીએ તૃપ્તિબેનને સમગ્ર સમાજ અને નારી જગત માટે પ્રેરણારૂપ ગણાવ્‍યા હતા.
આ પ્રસંગે પારડી હોસ્‍પિટલના ડોક્‍ટર એમ. એમ. કુરેશી, વલસાડ ગ્રુપના ફાઉન્‍ડર ડોક્‍ટર કિરણ વસાવડા, વીઆરજીના પ્રિતેશ પટેલ, નિતેશ પટેલ, યતીન પટેલ સ્‍મોલ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેતન ચાપાનેરી તેમજ વલસાડ અને પારડીના તબીબો હાજર રહ્યા હતા.
આ અભિવાદનનો પ્રતિભાવ આપતા તૃપ્તિબેને જણાવ્‍યું હતું કે, હું યોગ, ધ્‍યાન અને પ્રાણાયામને કારણે મારી ઘણી બધી શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકી છું અને માનસિક રીતે વધુ મજબૂત બની છું હુંકામકાજ પણ ધ્‍યાનપૂર્વક કરી શラકું છું અને મારો માનસિક તણાવ પણ ઘટયો છે. આ માટે મને સતત પ્રોત્‍સાહન આપવા બદલ ડોક્‍ટર કુરેષાબેનનો હું આભાર માનું છું અને સૌ હાજર મહેમાનોનો પણ અભિવાદન માટે આભાર માનું છું.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment