March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્‍કારકરવા બદલ પારડીના તૃપ્તિબેન પરમારનું પારનેરાના ડુંગર ખાતે સન્‍માન

નેધરલેન્‍ડ સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડૉ.ભૈરવી જોશીના હસ્‍તે મોમેન્‍ટો આપી સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડીના નારી શક્‍તિ એવા તૃપ્તિબેન કલ્‍પેશભાઈ પરમારે સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્‍કાર કરી શારીરિક અને માનસિક તકલીફોને કાબુમાં લેવા બદલ તેમના નજીકના મિત્રોએ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગરની ટોચ પર પહોંચી વલસાડના સાયકલિંગ મેયર અને નેધરલેન્‍ડ સ્‍થિત સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડોક્‍ટર ભૈરવી જોશીના હસ્‍તે મોમેન્‍ટો આપી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ડોક્‍ટર ભૈરવીએ તૃપ્તિબેનને સમગ્ર સમાજ અને નારી જગત માટે પ્રેરણારૂપ ગણાવ્‍યા હતા.
આ પ્રસંગે પારડી હોસ્‍પિટલના ડોક્‍ટર એમ. એમ. કુરેશી, વલસાડ ગ્રુપના ફાઉન્‍ડર ડોક્‍ટર કિરણ વસાવડા, વીઆરજીના પ્રિતેશ પટેલ, નિતેશ પટેલ, યતીન પટેલ સ્‍મોલ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેતન ચાપાનેરી તેમજ વલસાડ અને પારડીના તબીબો હાજર રહ્યા હતા.
આ અભિવાદનનો પ્રતિભાવ આપતા તૃપ્તિબેને જણાવ્‍યું હતું કે, હું યોગ, ધ્‍યાન અને પ્રાણાયામને કારણે મારી ઘણી બધી શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકી છું અને માનસિક રીતે વધુ મજબૂત બની છું હુંકામકાજ પણ ધ્‍યાનપૂર્વક કરી શラકું છું અને મારો માનસિક તણાવ પણ ઘટયો છે. આ માટે મને સતત પ્રોત્‍સાહન આપવા બદલ ડોક્‍ટર કુરેષાબેનનો હું આભાર માનું છું અને સૌ હાજર મહેમાનોનો પણ અભિવાદન માટે આભાર માનું છું.

Related posts

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

Leave a Comment