April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

બૂથ સશક્‍તિકરણ અભિયાન અંતર્ગતદરેક ઉપસ્‍થિત કાર્યકર્તાઓના મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવવાની સાથે તેને કેવી રીતે ભરવાની તેની આપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત ‘મન કી બાત’નો કાર્યક્રમ આંટિયાવાડ મંડળમાં મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શ્રી જયેશભાઈ પટેલ અને આંટિયાવાડ મંડળના કાર્યકર્તાઓ સાથે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા સાંભળ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઈન્‍ડિયા અંતર્ગત ઈ-સંજીવની ઓપીડી એપની આપેલી જાણકારી અને તેના વ્‍યાપક ઉપયોગની ચર્ચા પણ થઈ હતી.
આજે ‘મન કી બાત’ કાર્યક્રમની સાથે જ બૂથ સશક્‍તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા અને દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટે ઉપસ્‍થિત તમામ કાર્યકર્તાઓને મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવી હતી અને તેને કેવી રીતે ભરવાની તેની માહિતી આપવામાં આવી હતી. પેજ પ્રમુખથી લઈ બૂથ સમિતિ અને મંડળ સમિતિના ગઠનની વિસ્‍તૃત માહિતી પણ આપવામાં આવી હતી.

Related posts

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

વલસાડ-વાંસદા વિસ્‍તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત : વાતાવરણમાં પલટો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાના વિકાસ કામોની વિવિધ પ્રોજેક્‍ટોના સ્‍થળે રૂબરૂ પહોંચી કરેલું તલસ્‍પર્શી નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment