April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી ગામમાં રખોલી રોડ નજીક આવેલી આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટના પાછળના ભાગે ધુમાડો નીકળતા જોવા મળ્‍યો હતો અને જોતજોતામાં આગની જવાળાઓ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના કારણે તમામ કર્મચારીઓ, કામદારોકંપનીની બહાર દોડી આવ્‍યા હતા અને ફાયર ઇક્‍વિપમેન્‍ટ દ્વારા આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૌદ્ર રૂપ ધારણ કરેલ આગ કાબુમાં આવી નહોતો. ત્‍યારબાદ આવતા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી અને એક-બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

vartmanpravah

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment