March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના નોગામા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ઉલેચાતા સ્‍થાનિકો દ્વારા નજીકમાં આવેલા ઘરો અને ખેતીની જમીન ઘસી જવાની દહેશત વ્‍યક્‍ત કરી ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરી તપાસની માંગકરવામાં આવી હતી. આ સંદર્ભે સ્‍થળ સ્‍તિતિનો પંચકયાસ સાથે પ્રાંત અધિકારી દ્વારા મદદનીશ ભૂસ્‍તર શાષાીની કચેરીને અહેવાલ સુપ્રત કરવામાં આવ્‍યો છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સ્‍થાનિકોની લેખિત રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્‍થ તપાસ કરી સ્‍થળ પર એટલે કે તળાવમાં જરૂરી માપણી કરી ખરેખર કેટલા ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવેલ છે અને કેટલા મેટ્રિક ટનની મંજૂરી સામે ખરેખર કેટલા મેટ્રિક ટન માટી ઉલેચવામાં આવી છે. તે હકીકત બહાર લાવી માટી ઉલેચનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે જોવું રહ્યું.
નવસારીના મદદનીશ ભૂસ્‍તર શાષાી પી.આર. ખાંભલાના જણાવ્‍યાનુસાર નોગામા ગામે તળાવમાંથી માટી ખનન અંગેનો પ્રાંત અધિકારીશ્રીનો અહેવાલ મળ્‍યો નથી. અહેવાલ મળ્‍યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

Related posts

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

Leave a Comment