Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્‍ટરસીટી ટ્રેનમાં નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્‍સા અવારનવાર સમાજની સપાટી ઉપર ઉજાગર થતા રહે છે. કંઈક તેવો બનાવ આજે સવારે વલસાડ પ્‍લેટફોર્મ ઉપર બન્‍યો હતો. બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટી ટ્રેનમાં વાપીથી ઉપડયા પછી એક મહિલાને પ્રસૂતિની પીડા અચાનક ઉપડતા વલસાડ રેલવે પ્‍લેટ ફોર્મ ઉપર 108ની પરિચારિકાઓએ બાળકની પ્રસૂતિ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટી ટ્રેનમાં બોઈસરથી એક મુસ્‍લિમ પરિવાર પ્રસૂતિ માટે વલસાડ સિવિલમાં આવવા માટે આજે ગુરૂવારે સવારે નિકળ્‍યો હતો પરંતુ પરિવારની સાઈનાબેન નદીમભાઈ પઠાણને વાપી સ્‍ટેશનેથી જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. પીડા અસહ્ય વધી રહી હતી તેથી વલસાડ રેલવે સ્‍ટેશન ઉપર જ પ્રસૂતિ કરાવવાની તજવીજ તાબડતોબ રેલવે અને 108ના સ્‍ટાફના સંયુક્‍ત પ્રયાસો થકી હાથ ધરાઈ હતી. પ્‍લેટફોર્મ ઉપર જરૂરી આડશો ઉભી કરીને 108ની પરિચારિકા માનસીબેન પટેલ અને સ્‍ટાફએ સલામત પ્રસૂતિ કરાવી હતી. માતા અને નવજાત શીશુ દુરસ્‍ત રહ્યા હતા. ત્‍યારબાદ બન્નેને વલસાડ સિવિલમાં વધુ સારવાર માટેખસેડાયા હતા.

Related posts

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

Leave a Comment