December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલે ઉપસ્‍થિત રહી પોતાના આરોગ્‍યની કરાવેલી તપાસ: પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલના પ્રમુખ ડો. બિજલ કાપડિયાએ કરેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દેશમાં ‘ભારતીય જન ઔષધિ યોજના’ વિશે જાગૃતિ લાવવા માટે 1 માર્ચ, 2023થી 7 માર્ચ, 2023 સુધી વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે દેશભરમાં ‘જન આરોગ્‍ય મેળા’ (આરોગ્‍ય શિબિર)ઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ આજે યોજાયેલા ‘જન આરોગ્‍ય મેળા’માંપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે પોતાના આરોગ્‍યની તપાસ કરાવી હતી અને તબીબો તથા આરોગ્‍યકર્મીઓ સાથે વાતચીત કરીને જરૂરી જાણકારી મેળવી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ‘જન આરોગ્‍ય મેળા’ના આયોજન બદલ તબીબો અને આરોગ્‍યકર્મીઓને અભિનંદન આપ્‍યા હતા.
‘જન આરોગ્‍ય મેળા’ થકી દેશભરના તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં જન ઔષધિ કેન્‍દ્રો ખાતે જન આરોગ્‍ય મેળાઓ દ્વારા મફત તબીબી પરીક્ષણોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જન ઔષધિ અભિયાન અંગેની માહિતી વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને આપવામાં આવી રહી છે.
દમણમાં યોજાયેલ ‘જન આરોગ્‍ય મેળા’માં પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલના પ્રમુખ ડો. બિજલ કાપડિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તબીબો તથા આરોગ્‍યકર્મીઓ સહિત લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

Related posts

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની 12 અને 13મી નવેમ્‍બરે પ્રસ્‍તાવિત સંઘપ્રદેશની મુલાકાતને નજર સમક્ષ રાખી સેલવાસમાં ચાલી રહેલી સ્‍વાગત માટેની તડામાર તૈયારીઃ પોલીસ વિભાગ દ્વારા લોકોનું કરાઈ રહેલું વેરીફિકેશન

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

Leave a Comment