April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવા આયોજીત થઈ રહેલા વિવિધ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: આગામી 14મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ12ની પરીક્ષાના વિવિધ શાળાઓમાં અભ્‍યાસ કરતા દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ સરપંચ અને પંચાયતની ટીમ દ્વારા વેલકમ કિટ સાથે શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં લઈ જઈ શકાય તેવા ટ્રાન્‍સપરન્‍ટ રાઈટિંગ બોર્ડ, ટ્રાન્‍સપરન્‍ટ પાઉચ, બોલપેન, પેન્‍સિલ, સંચો, રબર, નાની સ્‍કેલ સહિત એક કેડબરી ચોકલેટ આપી બોર્ડની પરીક્ષા કોઈપણ પ્રકારના ડર વગર આપી સફળ થવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
આ પહેલાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દમણવાડાની શાળાના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને એક્‍ઝામ કિટ અને શુભકામના પાઠવવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવા આયોજીત થઈ રહેલા વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમથી ગ્રામજનોમાં પણ પ્રસન્નતા જોવા મળી રહી છે.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રીમતી પુષ્‍પા રાઠોડ-ગોસાવીની સાથે પંચાયત સેક્રેટરી શ્રી નિખિલભાઈ મીટના, શ્રી રોહિત ગોહિલ, શ્રી હિતેન બારી, શ્રી ધીરૂભાઈ બારી, શ્રી રાહુલ ધોડી વગેરે પણ જોડાયા હતા.

Related posts

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલીનાં સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો વિફર્યા : કામ બંધ કરાવ્‍યું

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

Leave a Comment