March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના તિઘરા સીમાર ફળિયા ખાતે રહેતા મનોજભાઈ સતિષભાઈ નાયકાના ઘરે ઘણા સમય બાદ લગ્ન પ્રસંગ હોય સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. આનંદથી લોકો લગ્ન ગીત ગાઈ ખુશી મનાવી રહ્યા હતા. એક દિવસ પછી ચાંલ્લાવિધિ અને આગામી પાંચ દિવસ બાદ જ 18મી તારીખે લગ્ન પ્રસંગ હોય વરયાત્રા લઈ ટુકવાડા ખાતે પરણવા જનાર વરરાજા મનોજના મનમાં લગ્નના લડડુ ફૂટી રહ્યા હતા. લગ્ન પ્રસંગને લઈ આજરોજ ઘરે લગ્નમંડપ બંધાઈ રહ્યો હતો અને લગ્ન મંડપ બાંધવાની દોરીની જરૂર પડતા વરરાજા મનોજ પોતે જ હોશે હોશે ઉદવાડા ખાતેથી દોરી લઈ પરત પોતાના ઘર તિઘરા આવી રહ્યા હતા. આ દરમિયાન ઓરવાડ રામદેવ હોટલની સામે, નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડથી વાપી જવાના રોડ પર અચાનક પાછળથી એક અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા મનોજના પ્રાણ સ્‍થળ પર જ છૂટી ગયા હતા અને જ્‍યાં લોકો આનંદથી ઝૂમી લગ્નના ગીતો ગાતા હતા ત્‍યાં મરશિયા ગાવાનો સમય આવ્‍યો હતો.અકસ્‍માત સ્‍થળે ભેગા થયેલા લોકોએ મનોજના મોબાઈલથી જ એમના કાકાના છોકરા રાહુલને આ અકસ્‍માત અંગે જાણ કરતા રાહુલ તથા સગા સંબંધીઓ સ્‍થળ પર આવી પહોંચ્‍યા હતા અને પારડી પોલીસમાં આ અકસ્‍માત અંગેની ફરિયાદ કરતા પારડી પોલીસે સ્‍થળ પર પહોંચી લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment