October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞના સમાપન ટાણે 22મી માર્ચના રાત્રિએ ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની પોથીયાત્રા 14મી માર્ચ, 2023ના રોજ બપોરે 1:30 કલાકે યોજવામાં આવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 કલાક રહેશે. બુધવાર તા.22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:00 થી 5:00 કલાક દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પનુંપણ આયોજન કરવામાં આવેલ હોવાની જાણકારી આપવામાં આવી છે.
22મી માર્ચ, 2023ના રોજ રાત્રે 8:00 વાગ્‍યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્‍ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

vartmanpravah

રાજ્યકક્ષાની શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, પારડીના સપ્ત ઋષિકુમારો ઝળક્યા

vartmanpravah

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન

vartmanpravah

Leave a Comment