March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ મહેશ આગરિયા અને પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશ પટેલે શ્‍યામ વિષ્‍ણુ હળપતિને મંડળ અધ્‍યક્ષનો સુપ્રત કરેલો નિયુક્‍તિ પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાજપના સંગઠનને અસરકારક અને પ્રભાવી બનાવવા માટે વિવિધ મંડળોના અધ્‍યક્ષોની શરૂ કરેલી વરણીની કડીમાં ગઈકાલે પરિયારી મંડળના પ્રમુખની જવાબદારી નવયુવાન કાર્યકર શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિને સુપ્રત કરવામાં આવી હતી.
શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિની પકડ પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં મજબૂત હોવાથી તેમની કરેલી નિયુક્‍તિથી ભાજપનો જનાધાર વધુ મજબૂત બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની અધ્‍યક્ષતામાં આયોજીત અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલની ઉપસ્‍થિતિમાં પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ તરીકે શ્રી શ્‍યામવિષ્‍ણુ હળપતિની સર્વ સહમતિથી પસંદગી કરવામાં આવી હતી.
દરમિયાન દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલે શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિને નિયુક્‍તિ પત્ર સુપ્રત કરી અભિનંદન આપ્‍યા હતા.
શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિએ તેમને આપેલી જવાબદારીને પોતાની નિષ્‍ઠાથી બજાવવા વચન આપ્‍યું હતું અને ભાજપ પદાધિકારીઓએ તેમના ઉપર મુકેલા વિશ્વાસ બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, દાભેલ ભાજપ મંડળ પ્રમુખ શ્રી ભાવેશ પટેલ તથા દમણ જિલ્લા ભાજપ મંત્રી શ્રી કિરીટભાઈ દમણિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા અંગદાન અંગે શરૂ કરાયેલ સફળ જાગૃતિ ઝુંબેશ

vartmanpravah

Leave a Comment