Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સમગ્ર શિક્ષણ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો માટે ગુજરાતી કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રદેશ સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સી.પી.એસ. આંબોલી ગુજરાતી માધ્‍યમ અંતર્ગત આવતી 8 જેટલી શાળાના 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં પ્રદેશના સ્‍વાતંત્ર્ય સેનાની એવા જમનીબા વરઠા, ભીખુભાઈ પંડયા, સનજીભાઈ ડેલકર, જત્રુબેન ધૂમ, જયંતભાઈ દેસાઈ, ગોમાનસિંહ સોલંકી, ડાલી શેઠ, કમલાબેન પંડયા વગેરે પ્રદેશના સ્‍વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને જાણકારી મળે તે માટે પ્રશ્નોતરી સ્‍પર્ધા યોજવા આવી હતી.
વિદ્યાર્થીઓમાં રમત-ગમતની ભાવનાનો વિકાસ, અનુશાસન, જીજ્ઞાશા, સંયમ, આત્‍મનિર્ભરતા અને સપ્ત ગુણોને પ્રોત્‍સાહન આપવા માટે આ સ્‍પર્ધા કારગર સાબિત થઈ. વિદ્યાર્થીઓના સર્વાંગીણ શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે આ સ્‍પર્ધા મહત્‍વપૂર્ણ છે. આ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને પ્રાથમિકગુજરાતી શાળા આંબોલી રહી હતી. બીજા ક્રમે પ્રાથમિક શાળા કોઠારપાડા અને ત્રીજા ક્રમે પ્રાથમિક શાળા પેલાદપાડા રહી હતી. ત્રણેય શાળાના સ્‍પર્ધકોને ક્રમ મુજબ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં ઉપસ્‍થિત તમામ વિદ્યાર્થીઓને પણ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે મુખ્‍ય અતિથિ તરીકે બી.આર.સી. ખાનવેલના સમન્‍વયક શ્રી ગણેશ પાટીલ, બાર.પી. શ્રી સંદીપ પાંડે, સી.આર.સી. કો-ઓર્ડિનેટર-આંબોલી શ્રી નેમિશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી જીતેન્‍દ્ર ચૌધરી, શ્રી પ્રવીણ રોહિત-આચાર્ય સી.પી.એસ. આંબોલી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

Leave a Comment