April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

અજાયબ ઘટના સમુહલગ્નમાં એ ઘટી હતી કે લગ્નવેદીમાં પિતા-માતા-પૂત્રીના એક સાથે લગ્ન થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારના નડગધરી ગામ તદ્દન અનોખો સમુહલગ્ન સમારોહ ગતરોજ યોજાયો હતો. જેમાં 97 જોડાઓએ પોતાના સંતાનોની હાજરીમાં લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
ધરમપુર-મહારાષ્‍ટ્રની બોર્ડરમાં વસતા આદિવાસી સમુદાયો પરંપરાગત રીત-રિવાજો અને સામાજીક વહેવારો આજ સુધી નિભાવી રહ્યા છે. આ વિસ્‍તારના યુવક-યુવતિના પરિવારની સંમતિથી પ્રથમ ચાંદલાવિધિ કરી દેવાય છે. અને યુવક-યુવતિ સાથે રહેવાનું શરૂ કરી દેતા હોય છે તેથી સ્‍થાનિક આગેવાનો દ્વારા આર્થિક સ્‍થિતિના કારણે લગ્નવિધિ ના કરી શકેલા જોડાઓનો નડગધરી ગામે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 97 જોડાઓના શાષાોક્‍ત રીતે પોતાના બાળકોની હાજરીમાંલગ્નવિધિ સંપન્ન કરાઈ હતી. તેમજ બાળકોએ માતા-પિતાને આશિર્વાદ પણ આપ્‍યા હતા. સામાન્‍ય સમાજથી આ એકદમ નોખી-અનોખી પરંપરા આજે પણ ધરમપુર-કપરાડાના આદિવાસી સમુદાયમાં ચાલી રહી છે. આ સિવાય આદિવાસીઓના તહેવાર રીતરીવાજો અનેક રીતે જુદા તરી આવે છે. તેઓ તેમની સંસ્‍કૃતિનું જતન કરવા માંગે છે અને થઈ પણ રહ્યું છે. આ સમુહલગ્ન અજાયબ ઘટનાએ ઘટી હતી કે એક જ લગ્નવેદી ઉપર માતા-પિતા-પૂત્રી-જમાઈના પણ સાથે લગ્ન થયા હતા.

Related posts

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યના દરેક ગરીબ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે અમે જે ઝુંબેશ શરૂ કરી હતી તેના અનુભવો હવે આખા દેશના ગરીબો ઉપયોગ કરી રહ્યા છે

vartmanpravah

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment