July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : કન્નડ સેવા સંઘ, દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજ્‍યોત્‍સવ અંતર્ગત ભારતીય રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કર્ણાટક રાજ્‍યોત્‍સવનો કર્ણાટકના લોકો દ્વારા રાજ્‍યની સ્‍થાપનાના દિવસ રૂપે મનાવવામાં આવે છે જેને ક્‍યારેક મુંબઈ, હૈદરાબાદ અને મૈસુર રાજ્‍યોમાં વિભાજીત કરવામાં આવ્‍યા હતા. આ દિવસ કર્ણાટકના લોકો માટે મહાન દિવસ હતો, કારણ કે આ કર્ણાટક રાજ્‍યની એકતા અને અખંડતાનો દિવસ હતો. આ રક્‍તદાન શિબિર કર્ણાટક રાજ્‍યોત્‍સવના ઉત્‍સવનો એક ભાગ છે અને દરેક કન્નડ લોકો રક્‍તદાન કરવા માટે એકત્ર થયા હતા.
આ અવસરે ઉપાધ્‍યક્ષ શ્રી હોસામની, કોષાધ્‍યક્ષ શ્રી પ્રકાશ નાયક, શ્રી બસવરાજ સુગરે, શ્રી અરુણ આગરા, શ્રી લોકેશપ્‍પા, શ્રી નાગેશ નાયક, ભારતીય રેડક્રોસના ડો. રાજેશ શાહ સહિત સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment