March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : કન્નડ સેવા સંઘ, દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજ્‍યોત્‍સવ અંતર્ગત ભારતીય રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કર્ણાટક રાજ્‍યોત્‍સવનો કર્ણાટકના લોકો દ્વારા રાજ્‍યની સ્‍થાપનાના દિવસ રૂપે મનાવવામાં આવે છે જેને ક્‍યારેક મુંબઈ, હૈદરાબાદ અને મૈસુર રાજ્‍યોમાં વિભાજીત કરવામાં આવ્‍યા હતા. આ દિવસ કર્ણાટકના લોકો માટે મહાન દિવસ હતો, કારણ કે આ કર્ણાટક રાજ્‍યની એકતા અને અખંડતાનો દિવસ હતો. આ રક્‍તદાન શિબિર કર્ણાટક રાજ્‍યોત્‍સવના ઉત્‍સવનો એક ભાગ છે અને દરેક કન્નડ લોકો રક્‍તદાન કરવા માટે એકત્ર થયા હતા.
આ અવસરે ઉપાધ્‍યક્ષ શ્રી હોસામની, કોષાધ્‍યક્ષ શ્રી પ્રકાશ નાયક, શ્રી બસવરાજ સુગરે, શ્રી અરુણ આગરા, શ્રી લોકેશપ્‍પા, શ્રી નાગેશ નાયક, ભારતીય રેડક્રોસના ડો. રાજેશ શાહ સહિત સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિ ઋતુનો ડિજિટલ સર્વે અંગે જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

Leave a Comment