December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

તિથલ બીચ મુકામે ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ યોજાયેલી પ્રોમો રન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.16: વલસાડ જિલ્લાનાં તિથલ મુકામે ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ પ્રોમો રન યોજી હતી. જેમાં બાળકો, મહિલાઓ, યુવાઓ તેમજ વડીલોને આવરી લઈ દરિયા કિનારે વિહાર કરવા આવેલા સહેલાણીઓને બ્રોસર આપી આગામી મેરેથોનમાં જોડાવા આહ્‌વાન કરવામાં આવ્‍યું હતું. જેનો હકારાત્‍મક પ્રતિસાદ સાંપડયો હતો. આ અગાઉ દમણ બીચ પ્રોમો રન કરી જે એકસો પાંચ જેટલાં દોડવીરો એક જ દિવસમાં નોંધવામાં આવ્‍યાં હતાં. ટીમ લીડર નરેશ નાયક અને ટીમનાં સક્રિય દોડવીરો, સહકાર્યકર ભાઈઓ અને બહેનો એમાં જોડાયા હતાં. મેરેથોનમાં જેમ બને એમ વધુ લોકો જોડાઈને આરોગ્‍યનું પર્વ ઉજવે એવી સૌએ આશા સેવી હતી.
જોગાનુજોગ રન એન્‍ડ રાઇડર 13, સુરતનાં દોડવીર એવાં શિક્ષક અશ્વિન ટંડેલે હિન્‍દુ રાષ્ટ્રનાં હિમાયતી છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ નિમિત્તે ભગવો ધ્‍વજ હાથમાં લઈ દોડ લગાવી હતી. તેમણે આજની આ દસ કિલોમીટર દોડ શિવાજી મહારાજને યાદ કરી રાષ્ટ્રને સમર્પિતકરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે આજે બાળકોમાં મોબાઈલનું વળગણ વધુ જોવા મળે છે તો બાળપણથી જ આપણાં બાળકોને કોઈ રમતગમતની પ્રવૃત્તિમાં જોડીએ તો ભવિષ્‍યમાં તેનાં તન અને મન માટે લાભદાયી નીવડે. તેમણે ઉમેર્યું હતું કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાનાં તણાવમાં રહેતા હોય છે આવા સમયે આવા મુક્‍ત વાતાવરણમાં હજારોની સંખ્‍યામાં દોડતા લોકોને જોવા કે એમની સાથે ભાગ લેવાનો લ્‍હાવો લઈ પરીક્ષાનાં ડરથી પણ છૂટકારો મેળવી પોઝિટિવ માઈન્‍ડ્‍સેટ કેળવી શકાય એમ છે.

Related posts

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બુધ ગુરુવારના રોજ સાગર સુરક્ષા કવચ હેઠળ યોજાયેલુ મોક ડ્રિલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

vartmanpravah

Leave a Comment