April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : હવામાન ખાતાની આગાહી મુજબ શનિ અને રવિવારે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. દાનહના ઊંડાણ વિસ્‍તારના ગામડાઓ એવા માંદોની, સિંદોની, બેડપા સહિતના વિવિધ ગામોના આસપાસના વિસ્‍તારમાં વરસાદ વરસતા કેરી સહિત શાકભાજીના પાકને વ્‍યાપક નુસકાન થવા પામ્‍યું હતું.
છેલ્લા એક અઠવાડીયાથી બદલાયેલાવાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે પ્રદેશના ખેડૂતો સહિત આમજનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ફલુ જેવા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે.

Related posts

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

Leave a Comment