December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : હવામાન ખાતાની આગાહી મુજબ શનિ અને રવિવારે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. દાનહના ઊંડાણ વિસ્‍તારના ગામડાઓ એવા માંદોની, સિંદોની, બેડપા સહિતના વિવિધ ગામોના આસપાસના વિસ્‍તારમાં વરસાદ વરસતા કેરી સહિત શાકભાજીના પાકને વ્‍યાપક નુસકાન થવા પામ્‍યું હતું.
છેલ્લા એક અઠવાડીયાથી બદલાયેલાવાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે પ્રદેશના ખેડૂતો સહિત આમજનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ફલુ જેવા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે.

Related posts

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

Leave a Comment