October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ડાંગ જિલ્લાના શિવરીમાળ ખાતે રામ જન્મભૂમિ અયોધ્યાના ગાદીપતિ મહંત કમલનયન 1008, તથા સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામી તેમજ અન્ય સંતો ની મિશ્રામાં વૈદહી આશ્રમ ખાતે યશોદા દીદી ના યજમાન પણે આયોજિત ધર્મ સંમેલનમાં 300 જેટલા પરિવારો સનાતન ધર્મ વૈદિક મંત્રોચ્ચાર સાથે જોડાયા હતા.


ગુજરાત રાજ્યના વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગમાં શિવરી માળ ખાતે વૈદહી આશ્રમ સાધ્વી યશોદા દીદી ચલાવી રહ્યા છે. આશ્રમમાં ગરીબ દીકરીઓ શિક્ષણ સાથે વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે. યશોદા દીદી દ્વારા તેમના વૈદહી આશ્રમ ખાતે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ( યુએસએ) ના સંહયોગથી ધર્મ સંમેલનનું 17 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રામ જન્મભૂમિ અયોધ્યા ગાદીપતિ મહંત 1008 કમલ નયનજી તથા સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજી તેમજ અન્ય વિવિધ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહી ધર્મ સભા સંબોધી હતી અને આપણી પ્રાચીન કાલથી ચાલી આવતી સનાતન હિન્દુ સંસ્કૃતિ અંગે રસપ્રદ માહિતીઓ આપી હતી સાથે પૂજા પણ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 300 જેટલા હિન્દુ પરિવારો સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયા હતા. ઉપસ્થિત મહંત તથા સંતોએ સનાતન ધર્મમાં જોડાનાર સર્વેને આશીર્વાદ આપ્યા હતા સાધ્વી યશોદા દીદી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમશાળાની દીકરીઓ દ્વારા સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર સાથેની પ્રાર્થનાઓ સાંભળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. ધર્મ સંમેલનમા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ ઉપસ્થિત સર્વે લાભ લીધો હતો.

Related posts

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment