Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

આ મતદારોએ એક પણ ઉમેદવારોને સ્‍વિકાર્યા નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અને મતદાનની ગણતરી ગઈકાલે ગુરુવારે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના મતદારોએ તમામ ભાજપના પાંચેય ઉમેદવારોની ભવ્‍ય જીત થઈ નવા ઈતિહાસ પણ વર્તમાન ચૂંટણીમાં લખાઈ ચૂક્‍યા છે. પરંતુ એક વસ્‍તુ સ્‍થિતિ અલગ ઉભરી આવી છે. એ એ છે કે જિલ્લામાં મતદાન કરી ચુકેલા મતદારો પૈકી 16112 મતદારોએ એખપણ ઉમેદવારને નહિ સ્‍વિકારી તેમનો મત નોટાને આપ્‍યો છે. આ પણ તંદુરસ્‍ત લોકશાહીની નિશાની જ ગણાવી રહી.
ચૂંટણીપંચ અને ભારતના બંધારણ એ તમામ યુક્‍ત નાગરિકોને મતદાન કરવાનો ચૂંટણી લડવાના સ્‍વાયત્ત હક્ક આપ્‍યા છે તે મુંજબ ચૂંટણીમાં ખાસ અંતિમ બટન નોટાનું હોય છે. આ બટન દબાવો એટલે તમારો મત કોઈ પણ ઉમેદવારમાં નહી પડે, મતદારો નોટા બટન દબાવી તેમની નામરજી-નારાજગી સ્‍પષ્‍ટ પ્રગટ કરી શકે છે. લોકશાહીની આ પારદર્શિતા અને તંદુરસ્‍ત લોકશાહીની નિશાની છે. વલસાડ જિલ્લામાં પાંચ બેઠકોમાં 16112 મતો નોટામાં પડયા છે તે પૈકી ઉમરગામમાં 2772, કપરાડા 4020, પારડીમાં 2316, વલસાડમાં 2815 અને ધરમપુરમાં સૌથી વધુ 4189 મત ઈ.વી.એમ.માં નોટામાં કેદ થયા હતા.

Related posts

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

vartmanpravah

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

Leave a Comment