Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

સરકારે યોજનાની મુદત વધુ એકવાર લંબાવી 16 જૂન સુધીની કરી છે : પાલિકાને 105 અરજી મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા ઈમ્‍પેક્‍ટ ફી યોજનાનો અમલ કરવામાં આવ્‍યો છે. ગેરકાયદે બાંધકામને રેગ્‍યુલાઈઝ કરવાની આ યોજનાનો લાભ લેવા કે અમલવારી કરવામાં વાપીમાં ઉદાસિનતા જોવા મળી રહી છે. અત્‍યાર સુધીમાં પાલિકામાં એકમાત્ર અરજી મંજૂર કરાઈ છે તેથી લાગી રહ્યું છે કે પાલિકા મહેસુલી આવક મેળવવામાં પણ રસહિન દેખાઈ રહી છે. જો કે પાલિકાને બાંધખામ રેગ્‍યુલાઈઝ કરવાની 105 અરજી મળી છે.
વાપી શહેરી વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામનો ઠેર ઠેર રાફડો ફાટેલો જ છે. પ્‍લાન નકશાથી વિરૂધ્‍ધ બાંધકામ 20 થી 30 ટકા માર્જીનનું ઉલ્લંઘન કરાયું છે. તેવા ડેવલપર અનઅધિકૃત બાંધકામને ઈમ્‍પેક્‍ટ ફી યોજના હેઠળ લાભ લઈ અધિકૃત કરી શકે છે. એ માટે સરકારે યોજના પણ બનાવી છે. તેમજપાલિકાઓને વધુ મહેસુલી આવક મળે તે હેતુસર યોજનાને સરકારે 16 જૂન સુધી લંબાવી છે. તેમ છતાં વાપીમાં આ યોજનાની અમલવારીની કોઈ ઝાઝી અસર જોવા મળી નથી. પાલિકાને 105 જેટલી અરજી મળી છે તે પૈકી એકમાત્ર અરજી બીના અભય દોશીની મંજૂર કરી છે તે પેટે ઈમ્‍પેક્‍ટ ફી રૂા.3,31,500 વસુલવામાં આવ્‍યા છે. તો અન્‍ય અરજીઓ રેગ્‍યુલાઈઝ કરવામાં પાલિકાની પણ નિરસતા દેખાઈ રહી છે. આ યોજનામાં 20 થી 30 ટકા પાર્કિંગ માર્જીન ઉલ્લંઘન કરનારા રૂા.150 પ્રતિ ચો.મીટર ઈમ્‍પેક્‍ટ ફી ભરી બાંધકામ નિયમિત કરાવી શકે છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દૂરંદેશીથી સંઘપ્રદેશના સરપંચો માટે દૂધની-કૌંચા ખાતે બે દિવસીય ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

Leave a Comment