October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

આ પહેલાં ગલોન્‍ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્‍ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે બાબતે જવાબદાર એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના ગલોન્‍ડા પટેલાદના અથોલા ગામના તૂરી ફળિયા વિસ્‍તારમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા નદીમાંથી પાણીનો ઉપયોગ કરી ફરી ખુલ્લેઆમ કેમિકલવાળુ પાણી છોડવાને કારણે પાણીમાં રહેલ તમામ માછલીઓના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ગલોન્‍ડા પટેલાદના આજુબાજુના વિસ્‍તારમાં આવેલી કંપનીઓ દ્વારા નદીઓમાંથી પાણીનો તેમના માટે ઉપયોગ કરે અને ફરી પાછા કેમિકલયુક્‍ત પાણી આ પાણી નદી-ખાડીમાં છોડી દેતા હોય છે. ઉપરાંત નદીઓનું પાણી ગામના લોકો ખેતી માટે ઉપયોગમાં લે છે અને ગામના લોકો દૈનિક ઉપયોગ માટે પણ લેતા હતા, પરંતુ કંપનીઓ દ્વારા ગંદુ અને કેમિકલવાળું પાણી છોડવાને કારણે હાલમાં પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, બળદ, બકરીઓ પણ આ પાણી પી રહ્યા નથી. આ કેમિકલવાળાપાણીના કારણે આજુબાજુના વિસ્‍તારના બોરિંગોના પાણી પણ દૂષિત થઈ ગયા છે અને તે પણ પીવાલાયક રહ્યું નથી.
આ સમસ્‍યા અંગે ગલોન્‍ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રશાસન દ્વારા પણ કોઈપણ પ્રકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના કારણે કંપનીઓ ધમધોકાર કેમિકલવાળા પાણી નદી, નાળાઓમાં છોડી રહ્યા છે. પરિણામે આજે કેમિકલયુક્‍ત પાણીના કારણે ગલોન્‍ડા વિસ્‍તારમાં નદીમાં મોટી સંખ્‍યામાં માછલીઓના મોત થયા છે. દાનહ પ્રશાસન દ્વારા સ્‍થાનિક ગ્રામજનોના આ પ્રશ્ન અંગે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment