April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી નજીકના સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં તકલાદી માલ સામાનનો ઉપયોગ કરી વેઠ ઉતારાતા ગ્રામજનો દ્વારા સરપંચ-તલાટી સાથે સ્‍થળ પર પંચકયાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવી દીધું હતું.
ચીખલીના સમરોલી કળાપુલ સ્‍થિત વિધાકુંજ પ્રાથમિક શાળામાં હાલે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે રૂા.65 લાખના ખર્ચે સાત જેટલા ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં પાયામાં જ નિયત ડિઝાઈન મુજબ પીસીસીની જાડાઈ ન જણાતા અને રેતી પણ દરિયાની ખારી હોવાનું જણાતા ગ્રામજનો દ્વારા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને આગેવાનોની ઉપસ્‍થિતિમાં સ્‍થળ પર પંચકયાસ કરી રેતીના સેમ્‍પલો પણ લેવામાં આવ્‍યા હતા. અને ગ્રામજનો દ્વારા કામ અટકાવી દઈ ટીડીઓ આ અંગેની જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોની સતર્કતાને પગલે સમગ્ર શિક્ષા અભિયાનનોસ્‍ટાફ દોડતો થઈ ગયો હતો.
સમરોલીના કીર્તિભાઈના જણાવ્‍યાનુસાર વિધાકુંજ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. રેતી પણ ગુણવત્તા વિનાની ઉપયોગ કરાતા પંચકયાસ કરાવી આ અંગેની જાણ ટીડીઓને કરવામાં આવી છે.
એસએસએના ટીઆરપી જાવેદભાઈના જણાવ્‍યાનુસાર ગ્રામજનો દ્વારા પાયાના બાંધકામ અંગે પ્રશ્ન ઉઠાવી કામ બંધ કરાવ્‍યું હતું. આ અંગે ગાંધીનગર રિપોર્ટ કરી પાયામાં રબલ નાંખવા ગાંધીનગરથી મંજૂરી મેળવી પાયાનું બાંધકામ કરવામાં આવશે.

Related posts

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

સાંસદનિધિ અંતર્ગત રૂા.ર કરોડ 60 લાખના કામો સાથે દાનહની વિવિધ સમસ્‍યાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓની સાંસદ કલાબેન ડેલકરે કલેક્‍ટરને કરેલી ધારદાર રજૂઆત

vartmanpravah

Leave a Comment